________________
—
—
—
ચૌદ વણસ્થાનક ભાવI-3
૨૯૩
— – વધારનાર છતાં તે નામવાળા ભાઇને માટે કહેવાય છે કે આ કુલવર્ધન’ છે. એમ આ કેશરીસિંહ છે; પછી ભલે તે મનુષ્ય છે, ને ડરપોકે ચ હોય.
(૪) રૂપસત્ય - કોઇનું રૂપ બનાવ્યું હોય. દી.ત. નાટકમાં રાજા ભર્તુહરિનું રૂપ કર્યું, ત્યાં જે કહેવાય “હવે આ ભર્તુહરિ આવે છે.” અથવા વેષધારીને આ સાધુ છે એમ કહેવાય.
(૫) અપેક્ષાસત્ય :- તે તે સાચી અપેક્ષાએ તેવો તેવો વ્યપદેશ થાય. દા.ત. રામ દશરથની અપેક્ષાએ પુત્ર કહેવાય, પરંતુ લવણઅંકુશની અપેક્ષાએ પિતા કહેવાય. ૫૦ કરતાં ૧૦૦ “મોટી’ સંખ્યા પણ ૨૦૦ કરતાં “નાની' સંખ્યા કહેવાય.
(૬) સંમત સત્ય :- કાદવમાં ઉત્પન્ન થનાર તો કીડા પણ છે, ઘાસ પણ છે, કિન્તુ કમળને જ “પંકજ' કહેવાય કે તે જનસંમત છે.
(૭) વ્યવહારસત્ય - લોકવ્યવહાર તેવો પડી ગયો હોય તેથી તેવો ભાષાપ્રયોગ થાય; દા.ત. આ માર્ગ દિલ્હી જાય છે, ખરી રીતે તો માર્ગ તો ત્યાંનો ત્યાં સ્થિર છે છતાં આ વ્યવહાર થાય તે અસત્ય ન કહેવાય. એમ કૂંડી મળે છે, પર્વત બળે છે.
(૮) ભાવસત્ય - શરીર પુગલમાં ચાર વર્ણ છે, છતાં કહેવાય કે “બગલાં સફેદ હોય છે. ભાવ, તાત્પર્ય, મુખ્યતાની દ્રષ્ટિએ સત્ય.”
(૯) ચોગસત્ય - વસ્તુના યોગથી તેવો વ્યવહાર થાય. દા.ત. ધન હોવાથી ધની કહેવાય.
(૧૦) ઉપમા સત્ય – અમુક અપેક્ષાએ ઉપમા પૂરતું સત્ય; દા.ત. આ પુરુષOાઘ છે, નરસિંહ છે, પાંદડે પાણીનાં બિંદુ મોતી જેવા લાગે છે, સરોવર સમુદ્ર જેવું છે.
આ પ્રકારો ધ્યાનમાં રાખી એને અનુસરીને સત્ય