SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ – – – –– – – – – – ચૌદ ગુણસ્થાનક માd-al ૨૭૯ – – – – – – કલ્પિત છે. અનિત્યતા માટે પિપલપત્ર અને જડતા માટે મુદ્રગશેલપાષાણાદિનાં દ્રષ્ટાંતો પણ કલ્પિત છે. કલ્પિત દ્રષ્ટાંતો પણ ઇષ્ટાર્થના સાધક છે, તેથી આદરણીય છે. સાધારણ ધર્મથી ઉપમા ન હોય ન્તુિ અસાધારણ ધર્મોથી જ હોય, જેમ કે ચન્દ્રમુખી-એમાં ચંદ્રના આલ્હાદકત્વાદિ અસાધારણ ધર્મથી ઉપમા છે, કિન્તુ યત્વ અભિધેયત્વાદિ સાધારણ ધર્મોથી નહિ. અસત્ય ભાષાના દશ પ્રાર (૧) ક્રોધનિઃસૃત - ક્રોધાવિષ્ટની અસત્ય ભાષા-જેમકે ક્રોધાવેશમાં પોતાના પુત્રને જ કહેવું કે “તું મારો પુત્ર નથી' મિત્રને કહેવું કે “તું મારો મિત્ર નથી' ઇત્યાદિ. અથવા ક્રોધાવિષ્ટનું સત્ય વચન પણ અસત્ય છે, વ્યવહારથી સત્ય હોવા છતાં ફ્લોપયોગી સત્યત્વ તેમાં નથી, કારણ કે સંક્લિષ્ટાચરણને શાસ્ત્ર નિષ્ફળ જ માનેલું છે, અથવા સ્થિતિબન્ધ કે રસબન્ધમાં કારણ યોગ્ય નથી, કિન્તુ કષાય છે. ક્રોધાવિષ્ટને ક્રોધથી કિલષ્ટ કર્મબન્ધ થાય છે, પણ સત્યથી તેને સ્વતંત્રપણે શુભબન્ધ થતો નથી, કિન્તુ અશુભ ફ્લજનક થાય છે. (૨) માનનિઃસૃત - અભધનવાળો કહે છે કે હું બહુ ધનવાળો' છું અને અલ્પ જ્ઞાનવાળો કહે કે હું “મહાજ્ઞાની” . ઇત્યાદિ અથવા માનાવિષ્ટ જે બોલે છે તે બધું અસત્ય જ છે, કારણ કે નિલ અને મહાબલ્વનું કારણ છે. સત્યનું કાર્ય (શુભ બન્ધરૂપ) થતું નથી અને અસત્યનું કાર્ય (કર્મબન્ધ રૂપ) થાય છે તેથી પરમાર્થથી તે અસત્ય જ છે. (૩) માયા નિઃસૃત - ઐન્દ્રજાલિક કહે કે “હું દેવેન્દ્ર છું' અથવા માયાવિષ્ટની સઘળી ભાષા અસત્ય છે કારણ કે તેથી સત્યનું કાર્ય શુભ બન્ધ થતો નથી, અને અસત્યનું કાર્ય કર્મબન્ધ થાય
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy