________________
---
-
-
--
-
-
---
-
-
--
--
૨૭૮
ચૌદ ગુણસ્થાન ભાગ-3 -- - મંત્રી ઇત્યાદિ પણ રૂપસત્ય છે. (“સ્થાપના'ની પ્રવૃત્તિ તજ્જાતીય અને સદોષમાં હોતી નથી અને “રૂપ” ની હોય છે, આટલો સ્થાપના સત્ય અને રૂપસત્યમાં છે.)
(૬) પ્રતીત્યસત્ય - અણુ મહત્ હ્રસ્વ દીર્ધ ઇત્યાદિ પરસાપેક્ષ પદાર્થોનું પ્રતિપાદન એ પ્રતીત્યસત્ય છે, અણુત્વ મહત્વાદિ પરાપેક્ષ ધર્મો સર્વથા અસત્ છે; એમ ન કહેવું. કપૂર ગબ્ધસ્વભાવથી જ અને શરાવ ગબ્ધજલસંપર્કથી જ છે તેથી અસત્ કે તુચ્છ ગણાય નહિ. અવલંબન વિના જ્ઞાન પણ કાંઇ કરી શકતું નથી. જ્ઞાન ગ્રહણ કરવા માટે પણ વચનની જરૂર પડે છે, અને બીજાને ગ્રહણ કરાવવા માટે પણ વચનની જરૂર પડે છે. એક આત્મામાં
(o) વ્યવહારસત્ય - “જીવતો નવી દ્રહ્મતે ગિરિશભતિ માનનમ્'3રા ન્યા' “ઊભોમાં ઈડા' નદીનું નીર પીવાય છે, ગિરિનાં તૃણ બળે છે, ભાજન ગત જલ ગળે છે, કન્યાને સંભોગજ-બીજ-પ્રભાવ ઉદરનો અભાવ છે, બકરાંને લવન કરવા યોગ્ય-કાપવા યોગ્ય લોમનો અભાવ છે, ઇત્યાદિ પ્રયોગ એ વ્યવહાર સત્ય છે.
(૮) ભાવસત્ય - સદભિપ્રાય પૂર્વક બોલાયેલી, પારમાર્થિક ભાવને જણાવનારી અથવા શાસ્ત્રીય વ્યવહારને નિયંત્રિત કરનારી ભાષા એ ભાવસત્ય છે, જેમ કે કુંભને જ કુંભ કહેવો, બલાકાને શ્વેત જ કહેવી, ઇત્યાદિ ભાવસત્ય એટલે પરમાર્થસત્ય છે.
(૯) યોગસ - છત્રના યોગથી છત્રી, દંડના યોગથી દંડી, કુંડલના યોગથી કુંડલી, ઇત્યાદિ યોગસત્ય છે.
(૧૦) ઉપમાસત્ય - ઉપમા, ઉપમાન, ઉદાહરણ, જ્ઞાત, દ્રષ્ટાંત, નિદર્શન ઇત્યાદિ ઉપમાસત્ય છે. ઉપમા બે પ્રકારની છે: એક ચરિત અને બીજી કલ્પિત. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નરકગમન ઇત્યાદિ ચરિત છે, સંસારસાગર, ભવાટવી, મુક્તિકળ્યા, ઇત્યાદિ