SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક માણ-3 (૪) લોભનિરૃત - ખોટા તોલાંને સાચાં તોલાં કહેવાં, ખોટાં માપાં ને સાચાં માપાં કહેવાં, અથવા લોભાવિષ્ટની સઘળી વાણી અસત્ય જ છે, સત્યનું કાર્ય શુભ બન્ધ છે નહિ અને અસત્યનું કાર્ય અશુભ બન્ધ રહેલો છે. (૫) પ્રેમનિઃસૃત - પ્રિયતમનું પ્રિયતમાની આગળ કહેવું કે હું તારો દાસ છું. પ્રેમ મોહોદયજનિત પરિણામ વિશેષ હોવાથી અશુભ કર્મબન્ધનો હેતુ છે, તેથી અસત્ય છે. (૬) દ્વેષનિઃસૃત - દ્વેષાવિષ્ટનું સઘળું વચન અસત્ય છે જેમકે ‘જિનેશ્વર કૃતકૃત્ય નથી' જિનેશ્વરનું ઐશ્વર્ય ઐન્દ્રજાલિક છે, ઇન્દ્ર જાલિયા વગેરે વિધાતિશય વડે પણ ઐશ્વર્ય બતાવે છે, તેમ જિનેશ્વર ઇન્દ્રજાલિક છે પણ કર્મક્ષય કરવા વડે કૃતાર્થ થયેલ નથી, એ પ્રમાણે ભગવદ્ગુણમત્સરિનું વચન અસત્ય છે. (પરગુણ અસહન રૂપ માત્સર્ય તે દ્વેષ છે અને તે સિવાયનો અપ્રીતિ રૂપ પરિણામ તે ક્રોધ છે. એટલો ક્રોધ અને દ્વેષમાં ક છે.) ૨૦૦ છે. (૭) હાસ્યનિ:સ્તૃત - હાસ્યમોહોદયજનિત પરિણામ વિશેષથી બાધિત અર્થવાળું મૃષા બોલે તે હાસ્યનિઃસૃત અસત્ય છે, જેમકે‘જોયેલી વસ્તુ પણ મેં જોયેલી નથી' આદિ કહેવું તે. (૮) ભયાન:સ્તૃત - ભયથી વિપરીત કહેવું-ચોરી કરી હોય છતાં રાજ્યની આગળ ચોરી કરી નથી એમ કહેવું તે. (૯) આખ્યાયિકાનિઃસૃત - રામાયણ મહાભારતાદિ ગ્રન્થોમાં જે અસબંધ વચનો કહ્યાં છે તે આખ્યાયિકાનિઃસૃત અસત્ય છે. વેદાદિ શાસ્ત્રોમાં જે વચનો કહ્યાં છે તે કાલાસુરાદિએ લોકોને ઠગવા માટે કહ્યાં છે માટે તે આખ્યાયિકાનિઃસૃતમાં નહિ પણ માયાનિઃસૃતમાં અંતર્ભાવ પામે છે. (૧૦) ઉપઘાતનિ:સ્તૃત - પર અશુભ ચિન્તન પરિણત
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy