SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ચોદ |ણસ્થાન ભાગ-૩ – – – – – – – – – – શોભા-વિભૂષા કરવી નહિ. જંબુસ્વામી, સ્થૂળભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ, વિજયા શેઠાણી વગેરેના દ્રષ્ટાન્તો આંખ આગળ રાખી વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં સદા સાવધાન રહેવું. ભાષા વિશુદ્ધિ સુખમય અને સદ્ય જીવન જીવવા માટે જેમ મનઃશુદ્ધિ, અન્નશુદ્ધિ, ધનશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, શરીરશુદ્ધિ વગેરેની જરૂર છે, તેમ વચનશુદ્ધિની પણ જરૂર છે. જીવનવ્યવહાર માટે ઉપયોગમાં આવતા જેમ ધન અન્ન અને વસ્ત્રાદિ બાહ્ય પદાર્થ છે, તેમ વિવેક વિચાર અને વચનાદિ અંતરંગ પદાર્થો પણ છે. ધનાદિ બાહ્ય પદાર્થો વિના જેમ એક દિવસ પણ ચાલી શકતું નથી, તેમ વચનાદિ અત્યંતર પદાર્થો વિના એક ક્ષણ પણ ચાલી શકતું નથી. કવિઓએ ગાયું છે કે- “ક્ષીયો સ્વધુ મૂષwાનિ સતત, વાયૂષ પામ્ I” બીજાં ભૂષણો ખરેખર ખૂટી જાય છે, જ્યારે વાણીરૂપી ભૂષણ માણસને સતત શોભાવે છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે : દુનિયામાં વધારેમાં વધારે ભલું કે વધારેમાં વધારે મૂંડું કરવાનુંસાધન જીન્હા છે.” દુનિયાનું ભલું કે ભૂરું કરવાનું સૌથી અધિક સામર્થ્ય વાણીમાં છે, એનો કોનાથી ઇન્કાર થઇ શકે તેમ છે ? વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવો સત્ય તત્ત્વોનો ઉપદેશ કરી વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે, તે તેમના વચનાતિશયનો જ પ્રતાપ છે; કુતીર્થિકો અસત્ય વસ્તુઓ બતાવી મિથ્યા માન્યતાઓના અંધ કૂવામાં ઉતારી વિશ્વ ઉપર જે અપકાર કરે છે, તે પણ તેમની વચનશક્તિને જ આભારી છે. વચનસામર્થ્યનો આ પ્રતાપ સર્વ ક્ષેત્રોમાં જણાઇ આવે છે.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy