________________
૨૭૨ - -
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
નબળી પડે છે, ઓજસ હૃાસ પામે છે, પાપવૃત્તિ હૃદયમાં ઘર કરે છે. હિંસાદિરૂપ પાપો કરતાં અબ્રહ્મનું પાપ એટલા માટે ભયંકર છે કે હજી કારણવશાત્ રાગ વિના પણ હિંસાદિ થઇ જાય. પરંતુ, અબ્રહ્મ તો રાગ વિનાનું સેવાતું જ નથી. એક વખતના અબ્રહ્મના સેવનમાં બે થી નવ લાખ ગર્ભ જ પંચેન્દ્રિય જીવોનો અને બીજા કેટલાક સંમૂચ્છિમ જીવોનો નાશ થવાનું શાસ્ત્ર કહે છે.
બ્રહ્મચર્ય પાલનનો ઉપાય - વિચારવું તો એ જોઇએ છે કે અબ્રહ્મ સેવવામાં શું આજ સુધીના અનંત ભવોમાં બાકી રાખ્યું છે ? એકજ દેવતાના ભવમાં કરોડો દેવીઓના ભોગ મળે છે, કેમ કે દેવીનું આયુષ્ય દેવની અપેક્ષાએ બહુ થોડું હોય છે. તે દેવીઓ પાછી કાળી કુબડી નહિ, પણ સદા ચૌવનવયની, ગોરી ગુલાબી રૂપસુંદરીઓ હોય છે. એવા દેવના ભવ પણ પૂર્વે અનંતા થઇ ગયા, તો કેટલી દેવીઓનો ભોગ થયો ? અનંત ! તો પણ હજુ તૃપ્તિ નથી થઇ. આટલા બધા અબ્રહ્મના સેવનથી જે તૃપ્તિ ન થઇ તે અહીંના અભ કાળના તુચ્છ વિષયભોગથી થશે ? ના તૃપ્તિ નહિ, પણ અતૃપ્તિ વધશે. માટે જ જ્ઞાની માવે છે કે બ્રહાચર્યનું જ શરણ લો. જીવનભરના બ્રહ્મચારી બની સ્વ-પરને મંગળરૂપ બનો.
બ્રહ્મચારી નવ કિલ્લાની વચ્ચે વસે - બ્રહ્મચર્યના પાલન માટે ખાસ નવ વાડનું પાલન કરવાનું માવ્યું છે. દા.ત. પુરુષે (૧) સ્ત્રીવાળી વસ્તીમાં ન રહેવું. (૨) સ્ત્રીની કથા ન કરવી. (૩) સ્ત્રીનાં આસન પર ન બેસવું. (૪) સ્ત્રીના અંગોપાંગ ન નિરખવાં. (૫) ભીંતના આંતરે થતા સ્ત્રી-પુરુષના આલાપ-સંલાપ પણ સાંભળવા નહિ. (૬) પૂર્વે કરેલી ક્રીડાઓનું બિલકુલ સ્મરણ ન કરવું. (૭) પ્રણીત એટલે ઘી-દૂધ વગેરેથી ઘચબચતો આહાર ના વાપરવો. (૮) તેમ ખૂબ આહાર પણ ન વાપરવો. (૯) શરીરે