________________
–
–
ચૌદ ગુણસ્થાનક ભાd-૩
૨૬૭
– – સત્ય એક મહાન ગુણ છે, જીભનો અલંકાર છે, પ્રતિષ્ઠાનો હેતુ છે, પાપથી બચાવનાર છે, તેમજ સત્યવાદીનો સૌ કોઇ વિશ્વાસ કરે છે.
જૂઠનાં નુક્શાન - અસત્ય બોલવાથી (૧) લોકોના વિશ્વાસ ગુમાવાય છે.
(૨) અવસરે સાચું બોલેલું પણ “વાઘ આવ્યો રે વાઘ” ની. જેમ અસત્યમાં ખપે છે.
(૩) મન બગડે છે, મનમાં બીજી અનેક પાપ વિચારણા જાગે છે.
(૪) પાછળથી પશ્ચાતાપ થાય છે.
(૫) કેટલીકવાર એક અસત્યનો બચાવ કરવા માણસ બીજા અનેક અસત્ય બોલવા માંડે છે. અથવા બોલવાનો પ્રસંગ કદાચ ન આવે તો પણ મનમાં ગોઠવી રાખે છે.
(૬) અસત્યથી ઘણાં માઠાં કર્મ બંધાય છે. જેનાં ળરૂપે ભવાંતરમાં જીભ જ નથી મળતી, અથવા મળે છે તો સડેલી મળે. છે, કે તોડતા બોબડાપણું મળે છે.
(9) નરક સુધીના ભયંકર દુખો મળે છે. વસુરાજા અસત્યથી નરકમાં ગયો.
આ જીવે આજ સુધી પૂર્વના બહુ ભવોમાં અસત્યની મહાકુટેવો પાડી છે, તેથી સ્વાર્થ ઊભો થતાં અસત્ય બોલવાનું મન થઇ જાય છે. એ ટેવ જો અહીં તાજી કરી તો આગળ પરિણામ ખતરનાક આવે છે, અને આ ભવની ભૂલના ગુણાકાર થાય છે. માટે અહીં તો અસત્યને સ્વપ્રમાંથી પણ દૂર કરવું જોઇએ. ગમે તેવા કષ્ટમાં પણ સત્ય વચનની સચોટ ટેવ પાડવી જોઇએ. એકવાર હિંમત કેળવી સત્ય સાચવતા થઇ ગયા પછી તો સત્યનો સ્વભાવ થઇ જાય છે. માટે “ભલે કષ્ટ આવો પણ સત્ય ન જાઓ. ભલે