________________
૨૬૮
ચૌદ |સ્થાનક ભાગ-૩ – – – – – – – – – – – – – આક્ત આવો, પણ અસત્ય ન જ ખપે.” આ નિર્ધાર જોઇએ.
૮ - શો)
આઠમો યતિધર્મ શૌચ છે. શૌચ એટલે પવિતવ્યા. તે અહીં માનસિક પવિત્રતા, આત્મિક પવિત્રતા લેવાની છે. મુનિ સાવધ ચોગમાત્રના ત્યાગી હોય છે. એટલે કે ઝીણામાં ઝીણી હિંસા, જૂઠ વગેરેના સર્વાશે ત્યાગી હોય છે, તેથી એજ એમની મહાન સાચી પવિત્રતા છે. તેથી શારીરિક કે વસ્ત્રાદિ સંબંધી ઉજ્જવલતાની એની આગળ કાંઇ કિંમત આંકતા નથી તેમ એમને એની કાંઇ જરૂર પણ નથી હોતી. શોચના લાભ -
(૧) મન પવિત્ર રાખવાથી ઘણી સારી તત્વવિચારણા કરી શકાય છે.
(૨) તત્વ વિચારણાને આત્મસ્પર્શી બનાવી શકાય છે.
(૩) પવિત્ર મનમાં જ પરમાત્માનો વાસ રહે છે. એટલે કે પરમાત્માનું ધ્યાન સચોટ અને સતત જાગતું રહે છે.
(૪) પવિત્ર મનવાળાને પોતાનો આત્મા બહુ ફોરો-હલકો ફૂલ જેવો લાગે છે.
(૫) મૈત્રી આદિ ઉચ્ચ ભાવનાઓ ભાવવી સહેલી પડે છે. (૬) મહાપુરુષોના ઉપદેશ સારી રીતે ઝિલાય છે. (૭) આખુંય જીવન પવિત્ર અને ઉજળું બને છે.
(૮) મોહની ગાંઠો તૂટી જાય છે, અને અવસર મળતાં કેવળજ્ઞાન લેવામાં વાર લાગતી નથી. સાધ્વી ચંદનબાળાના શિષ્યા મૃગાવતીજી પવિત્ર મનવાળા હતા તો સમવસરણેથી સહેજ મોડા