SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તપના લાભ - છે. ચૌદ ગુણસ્થાનક માગ-3 આ બધોય તપ ખાસ સેવવા યોગ્ય છે. (૧) તપથી મન ખૂબજ કાબુમાં આવે છે. (૨) તપ ચીકણાં કર્મને પણ તપાવી નાશ પમાડી દે છે. (૩) ઇન્દ્રિયો શાંત થાય છે. (૪) આત્મા ભવિષ્ય માટે આશ્વાસન અનુભવે છે. (૫) તપથી અનેક વિદ્યાશક્તિ અને લબ્ધિઓ પ્રગટ થાય (૬) અનાદિની આહારાદિ સંજ્ઞાઓ તપથી તૂટે છે. (૭) તપથી કુસંસ્કારો વિચ્છેદ પામે છે. (૮) તપથી મહાવિઘ્નો પણ શમી જાય છે, તેથી તપ એ શ્રેષ્ઠ મંગળ છે. તપ દ્વારા કાયામાંથી ક્સ ખેંચવો ઃ શ્રી તીર્થંકર દેવ જેવા પણ જે તેજ ભવે પોતે મુક્તિ જવાનું જાણે છે, તેઓશ્રી પણ ચારિત્ર લઇને ઘોર તપ આદરે છે. એમની પાછળ મહામુનિઓ મેઘકુમાર, શાલિભદ્ર, ધનાજી, કાકંદીનો ધન્નો, વગેરે એ મુહાસુકોમળ છતાં ગજબનો તપ આદરી કાયાને સુક્કી ભુખ્ખી અને લુખ્ખી હાડપિંજર જેવી કરી દીધી ! તે આ સમજથી કે આ માનવની મહાપુણ્યે ખરીદેલી કાયા તપ રૂપી કોલુમાં પીલવાથી જ પાપક્ષય અને પુણ્યના મધુર રસ આપે; માટે લોહીના છેલ્લા બુંદ અને માંસના છેલ્લા કણ સુધી કાયામાંથી તપ દ્વારા કસ ખેંચવો જોઇએ. તપ દ્વારા મહાન પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મક્ષયનો કસ ખેંચવામાં કાયાનું જેટલું માંસ લોહી બાકી રહી જશે તે તો અગ્નિમાં જશે. માંસ લોહી એવું શા માટે વેડફી નાંખવું ? ફરી ફ્રીને આવી કાયા ક્યાં મળશે ? એ તો હજીય મળે, પરંતુ તપ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy