________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૫૫
ઉપકરણ રાખે, વાપરે ત્યાં ચિત્ત મોહમૂઢ બને એ અસમાધિનું સ્થાન છે.
(9) ભોજન - એટલે ઘણું ભોજન કરે જેથી ગોચરીના દોષ તથા સંયમની ઉપેક્ષા થાય વળી આખો દિવસ ખૂલ્લા મોઢે રહી વધારે ટંક કરે, અથવા પ્રમાદ, લોભ ઇત્યાદિ વશ દેવદ્રવ્યાદિનું સીધું યા આડકતરી રીતે (દેવદ્રવ્ય ખાનારના ત્યાંથી ભિક્ષા લાવીને) ભક્ષણ કરે આ બધામાં ચિત્તમાં ખૂબ જ અસમાધિ પોષાય છે.
(૮) એષણાદોષ - ગોચરી પાણી આદિમાં એક યા બીજો ગવેષણાનો દોષ લગાડે, પણ દોષ ટાળવાનો પ્રયત્ન ન રાખે એમ ? ગ્રાસેષણામાં રાગાદિ દોષ લગાડે ત્યાં બધે ચિત્તા અસમાધિવાળું બને છે.
(૯) રત્નાધિકનો અવિનય - ચારિત્રપર્યાયે અધિકના સાથે અવિનયથી બોલે તે પણ અસમાધિસ્થાન છે.
(૧૦) જ્ઞાનવૃદ્વાદિકનો ઉપઘાત - એટલે જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ વગેરેનો ઉપઘાત કરે, એમને ઉદ્વેગ પમાડે તે પણ અસમાધિસ્થાન છે.
(૧૧) અકાલ સ્વાધ્યાય - કાળે સ્વાધ્યાયના જ્ઞાનાચારની કે એ માવનાર જીનાજ્ઞાની ઉપર અથવા શ્રુતજ્ઞાન ઉપર ભક્તિ બહુમાન ન હોવાથી અગર ઓછું હોવાથી અકાળે સ્વાધ્યાય કરવાનું બને છે તેથી ત્યાં ચિત્ત સ્પષ્ટપણે અસમાધિમાં છે.
(૧૨) સાવધભાષાદિ - જીવની જતનાને અથવા બીજા સંસારી પાપને પ્રેરે એવી ભાષા તે સાવધભાષ; તેમજ સાચા જૂઠાના ખ્યાલ વિનાની ભાષા એય સાવધભાષા તથા વિકાળે એટલે પાછલી રાત્રે પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે ઊંચા સ્વરે બોલે જેથી આજુબાજુના મનુષ્ય-તિર્યંચ જાગી જઇ અસંયમમાં પ્રવર્તમાન થાય; આ બધું પણ અસમાધિસ્થાન છે. કેમકે ચિત્તની તેમાં જીવ રક્ષા