________________
૨૫૪ – –
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
– – – સહેજે મનમાં કોઇ એવી અસમાધિકારક ઝંખના-આતુરતા હોય છે કે જલ્દી પહોંચી જાઉં. વળી ઇરિયા સમિતિ પણ બરાબર સચવાય નહિ, એ ઉપેક્ષા પણ અસમાધિકારક બને છે. તાત્પર્ય ચિત્તની સમાધિ જાળવવામાં આ ઉતાવળ બાધક બને છે.
(૨-૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત સ્થાને બેસવું અર્થાત્ બેસતાં પહેલાં તથા નીચેની જગા કે આસન પર દ્રષ્ટિ જ ન નાખે તેમજ પૂજે પ્રમાર્જ નહિ અથવા બરાબર વિધિપૂર્વક નહિ કિન્તુ જેમ તેમ અડધું પડધું જુએ અને પૂજે-પ્રમાર્જે ત્યાં એવી બેદરકારીમાં ચિત્ત અસમાધિમાં પડે. દ્રષ્ટિથી પ્રતિલેખન (નિરીક્ષણ) અને રજોહરણથી પૂંજવા પ્રમાર્જવામાં ચોક્સ ઉપયોગ એ એક આવશ્યક ધર્મયોગ છે અવશ્ય કર્તવ્ય ધર્મયોગમાં બેદરકારી એ અસમાધિવાળા ચિત્તનું લક્ષણ છે.
(૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ-અજતના અનુયોગથી પ્રવૃત્તિ કરવામાં જીવની વિરાધના થાય છે અને દશવૈકાલિકસૂત્ર તો ત્યાં સુધી કહે છે કે “અજય ચરમાણોય પાણભૂયા ઇહિંસા' અર્થાત અજતનાથી ચાલવા વગેરેમાં કદાચ જીવ ઘાત ન પણ થાય તોય એ ભાવથી હિંસક બને છે. એટલે આ ઉપયોગશૂન્યતા એ અધર્મરૂપ છે એમાં ચિત્ત સમાધિરહિત કહેવાય.
(૫) સચિત્ત રજ વિરાધના - ગામમાં પેસતા નિકળતા અગર વિહારમાં સુવાળી રેતીમાંથી કર્કશ રેતીમાં, લાલ માટીમાંથી કાળી માટીમાં જતાં પગ પૂંજી લેવા જોઇએ. તે ન પૂજે તો પરસ્પર વિજાતિય પૃથ્વિકાયરજનો ઘાત થાય. એમ સચિત્તરજવાળા પગથી આસન પર બેસે ચા સચિત્તરજવાળાના હાથેથી ભીક્ષા લે. ઇત્યાદિમાં ચિત્તની બેદરકારી હોઇ અસમાધિ વર્તતી ગણાય.
(૬) અધિક ઉપકરણ - સંયમને માટે ખાસ જરૂરી ન હોય તેવા ઉપકરણ વસ્ત્ર પાત્રાદિ, પાટપાટલાદિ, અથવા વધારે પડતાં