SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૫૩ - - -- — — — — — — — — — — — — — — — — — — — — અસમાધિ સ્થાન સામાન્યથી ઘરખટલામાં ફ્લેલા શ્રાવકને પણ અસમાધિથી બચવાનું કહ્યું છે, તેથી જ અસમાધિકારક કેટલાય પ્રસંગોમાં શ્રાવકે આવવાનું નથી, તો પછી વિશ્વમાં અતિ ઉચ્ચ કોટિના ચારિત્રા જીવન પામેલાએ અસમાધિથી બચવા માટેનું તો પૂછવું જ શું ? અસમાધિમાં અપ્રશસ્ત હર્ષ-ખેદ થાય છે, રાગદ્વેષ ભભૂકે છે, ચિત્તને ખોટાં કૌતુક-આતુરતા અને આર્તધ્યાન થાય છે. એ એક બાજુ અનાદિના કુસંસ્કારને કમ કરવાની વાત તો દૂર, ઉર્દુ દ્રઢ કરે છે, ને બીજી બાજુ થોકબંધ પાપ કર્મ બંધાવે છે. માટે સાધુસાધ્વીએ અસમાધિ કરાવનાર પ્રસંગથી જ દૂર રહેવું જોઇએ, જેથી અસમાધિ થાય નહિ. આવશ્યક સૂત્રમાં અસમાધિ કરાવનારાં ૨૦ સ્થાન કહ્યાં છે, તેનાથી દૂર રહેવા માટે પહેલાં એ સમજી લેવા જોઇએ. એ સહેલાઇથી યાદ રાખવા માટે તેને આ પ્રમાણે વહેંચી શકાય - ગમનાદિ પ્રવૃત્તિના પસંગ્રહ ભોજનના ૩+જ્ઞાનાચાર ભંગના ૩ + ભાષાના-૪ + કષાયના ૫ = ૨૦ તેનાં છૂટક નામ :(૧) શીઘગમન (૨-૩) અપ્રતિ દુષ્પતિ લેખિત બેસવું (૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ (૫) સચિત રજધિરા ધના (૬) અધિક ઉપકરણ (૭) અતિભોજન (૮) એષણાદોષો (૯) રત્નાધિક અવિનય (૧૦) જ્ઞાનવૃદ્ધાદિ ઉપધાન (૧૧) અકાલ સ્વાધ્યાય (૧૨) સાવધભાષાદિ (૧૩) નિશ્ચયભાષા (૧૪) ભેદકારીભાષા (૧૫) નિંદા (૧૬) ચિડીયો સ્વભાવ (૧૭) જેની તેની સાથે કષાય (૧૮) આગંતુક સાથે કલહ (૧૯) જુનું યાદ કરી કષાય-ઉદીરણા (૨૦) ક્રોધપરંપરા. આની સમજૂતી - (૧) શીધ્ર ગમન એટલે જલ્દી જલ્દી ચાલવું. આમ ચાલવામાં
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy