________________
૨૫૨
યોદ ગુણસ્થાનક ભાગ-૩
સ્વૈચ્છિક હિંસાથી વિપરીતદ્રષ્ટિ વેદવિહિત તરીકેની દ્રષ્ટિ એમાં રાખે છે, (અને લેશપણ પાપરૂપ ન માનતાં એ હિંસા આચરે છે.) આ દ્રષ્ટિનો સંમોહ છે. અથવા દ્રષ્ટિસંમોહ એટલે આંતરિક ભાવને આશ્રીને સમાનતા છતાં બે પ્રવૃત્તિમાં નામ જુદા અને બે પૈકી એક કરતા બીજામાં શાસ્ત્રદ્રષ્ટિએ વિપરીતદ્રષ્ટિ રાખવી તે. દા.ત. ઉપરોક્ત જ યજ્ઞહિંસામાં હાર્દિક ભાવતો સ્વૈચ્છિક હિંસાની જેમ સંકલિષ્ટ જ છે, કષાયક્લષિત જ છે. પરંતુ નામ વિધિવાક્યવિહિત સમજી આ યજ્ઞવાળી હિંસાને વીપરીત દ્રષ્ટિ યાને વેદનિષિદ્ધ નહિ પણ વેદવિહિત તરીકેની દ્રષ્ટિથી જૂએ છે. આ દ્રષ્ટિસંમોહ છે. પરંતુ જીન મંદિરાદિ સંબંધી કોઇ ક્ષેત્ર-ધન વગેરેનો આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતા હાર્દિક ભાવ જૂદો છે. સમાન નથી. ભાવ આમાં શુભ છે કેમકે એમાં દેવદ્રવ્યની રક્ષાવૃદ્ધિથી સ્વપરની ભાવ-આપત્તિ આત્મિક દુ:ખા નિવારવાનો અધ્યવસાય પ્રવર્ધમાન છે, તેથી જ જો કે સાંસારિક આરંભ કરતાં આ આરંભને વીપરીત દ્રષ્ટિએ જુએ, અર્થાત્ ત્યાજ્ય નહિ પણ ઉપાદેય સમજે છતાં એમાં દ્રષ્ટિસંમોહ નથી. આમાં ફળની પણ સમાનતા નથી. સાંસારિક આરંભનું ફળ તો સ્વભોગ્ય છે, ત્યારે મંદિરના આરંભનું ળ તો સ્વભોગ્ય નથી. એટલે ભાવથી ળને આશ્રીને પણ સમાનતા ન હોવાથી અહીં દ્રષ્ટિસંમોહ નથી.
(૩) ધર્મપથ્યની અરુચિ - એવી છે કે એમાં ધર્મશ્રવણ તરફ અવજ્ઞા-બેપરવાઇ હોય છે. તત્ત્વ-પારમાર્થિક પદાર્થના રસાસ્વાદથી વિમુખતા હોય છે. અને ધાર્મિક આત્માઓ સાથે સંપર્ક હોતો નથી.
(૪) ક્રોધની ખણજ - નું લક્ષણ એ છે કે સાચા-ખોટા દોષને સાંભળીને વસ્તુરહસ્ય વિચાર્યા વિના તરત જ અંદર બહાર ઉકળાટ ઉછળી આવે.