________________
૨૫૬
ચોદ ગુણસ્થાન ભાગ-૩
—
—
—
—
—
—
—
—
—
—
—
અને સંયમ પ્રત્યે બેદરકારી છે અથવા ગૃહસ્થની ભાષા બોલે.
(૧૩) નિશ્ચયભાષા - સાધુ-સાધ્વી જેમાં સંદેહ હોય અગર ખબર જ ન હોય ત્યાં “આ આમ છે ,-આમ થશે' એવી નિશ્ચયાત્મભાષા ન બોલે, પરંતુ પૂરી સંભવિત હોવાની ખબર હોય એવી બાબતમાં પણ નિર્ણયાત્મક “જ'કારવાળી ભાષા પણ ન બોલે, કેમકે વિચિત્ર ભવિતવ્યતાથી બીજું જ બની જાય તો અસત્ય લાગે. નિશ્ચયાત્મક ભાષા બોલવી એ અસમાધિસ્થાન છે.
(૧૪) ભેદકારી ભાષા - પોતાના સ્વાર્થવશ અગર ઇર્ષાથી સમુદાયમાં એકને કાંઇ ને બીજાને બીજું ભળાવે જેથી એમને પરસ્પરમાં વૈમનસ્ય થાય-દિલ ઊંચા થાય; એવી ભેદકારી ભાષા પણ અસત્રાધિજન્મ અને અસમાધિપ્રેરક છે.
(૧૫) નિંદા - અન્ય સાધુ-સાધ્વી આ શ્રાવક શ્રાવિકાની. હલકાઇ ગાય, ઘસાતું બોલે વગેરે નિંદા કરવીએ ભારે અસમાધિનું સ્થાન છે.
(૧૬) ચિડીયો સ્વભાવ - એમાં વાતવાતમાં ચિડાઇ જાય, રિસાઇ જાય. આવેશ, ક્રોધ આવી જાય એ પણ અસમાધિ સ્થાન
(૧૭) જેની તેની સાથે કષાય માંડે – ગુસ્સો કરે, અભિમાન દેખાડે, પ્રપંચ રમે, હરામશ્કરી કરે એ અસમાધિસ્થાન છે.
(૧૮) આગંતુક સાથે કલહ - ટંડો, ઝગડો, રગડો કરે, નવા આવેલ સાધુ-સાધ્વી ખમાય નહિ. આ પણ અસમાધિ સ્થાન છે. ' (૧૯) જૂનું યાદ કરી કષાયની ઉદીરણા કરે - અત્યારે એ યાદ કરવાનું કોઇ ળ નથી, છતાં યાદ કરી કરી પણ કષાયમાં ચઢે, આવુ યાદ કરવું એ પણ અસમાધિનું સ્થાન થયું.
(૨૦) ક્રોધની પરંપરા - એટલે કે ક્યાંક ગુસ્સો થઇ ગયો,