SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - ૨૪૬ ચોદ |Dાક ભાવ-3. - - - - - ઉપકારી પણ હોય તેમના પ્રત્યે કૃતજ્ઞતાના પાલન રૂપે ઉચિત સેવા જરૂર જોઇએ. કૃતજ્ઞ માણસમાં ધર્મનો પાયો જ નથી લાગતો. ક્યાં વાત ? ઉપકારી સિવાય પણ બીજા વડિલો પ્રત્યે બોલચાલનો ઉચિત વ્યવહાર જોઇએ. ઉપરાંત દીન-અનાથનિરાધાર-તેમજ દુખગ્રસ્ત પ્રત્યે પણ અવસરોચિત શક્ય ઉપાય ઉચિત પ્રવૃત્તિ જાળવવી જરૂરી છે. આ બધું સાચવવામાં દિલમાં ઉદાર પરિણામ, ઉદાર વૃત્તિ, ઔદાર્ય કેળવાય છે. (૨) દાક્ષિણ્ય માટે - બીજાનું કાર્ય કરવા તરફ ઉત્સાહસેવાનો ઉત્સાહ બન્યો રાખવો જોઇએ. એ રખાય તોજ અવસર મળે ઝટ બીજાનું કાર્ય કરવામાં પાછી પાની નહિ થાય. અને સામાં પ્રત્યે દાક્ષિણ્ય વ્યક્ત થશે, બેશરમ માણસ તો તેવા અવસરે આંખ મીંચામણા કરવાનો. “આપણે તે કેટલે પહોંચીએ ?' અને શું નવરા બેઠા છીએ તે બધાનું કરતા ક્રીએ ? આવા હલકા ધોરણમાં અટવાવાનો. વિચારવું તો એ જોઇએ કે સ્વાર્થરક્ત તો કોણ નથી હોતું ? કૂતરા-બિલાડાય જાતનું તો સંભાળવામાં શૂરા હોય છે. માનવભવ એટલે ઊંચા સ્તર પર બેઠક. ત્યાં પોતાનો સ્વાર્થ ગૌણ કરી બીજાની સેવા કરવાની ધગશ હોવી જોઇએ, જગતમાં સેવા કરનારા મહાન પુરૂષો બની ગયા. વળી આપણને આપણાં પ્રત્યે બીજા કેવું વર્તે તો ગમે ? માટે જ સેવામાં ઉત્સાહી રહેવું જોઇએ. પહેલાં મન મારીને પણ એ કરતાં કરતાં પછી તો એનો રસ જાગશે. પરનાં કાર્ય કરવામાં વિશિષ્ટ આનંદ આવે છે. દાક્ષિણ્ય માટે બીજું જરૂરી એ છે કે ગંભીર, ધીર અને સ્થિર બનવું. ગંભીરતા એટલે બીજાના ગુણદોષ પચાવી જાણવા. ગુણ પચાવવા એટલે એની કદર કરવી, દોષ પચાવવા એટલે એને સહી લેવા. પણ ઉકળી ન ઉઠવું બહાર બાવું નહિ. એ જો ન હોય, તો બીજાનું કાર્ય કરવાનો અવસર આવ્યું દાક્ષિણ્યથી પણ એ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy