________________
૨૪૦
IIIક માd-3
ચિત્તના કોઇ જ વિક્ષેપ ન થવા દેવા.
(૨) બહુમાન – વાચનાચાર્ય અને સૂત્રાર્થ પર દાતા અને રત્નનિધાનવત અત્યંત બહુમાન પણ જરૂરી છે. “અહો, આ કેવા મહાન નિઃસ્વાર્થ ઉપકારી છે, કેવા મારા ભવભ્રામક અજ્ઞાનને ટાળી રહ્યા છે, એ ઉપકારનાં મૂલ્ય ન આંકી શકાય....!” બહુમાન રહેવાથી સૂત્રાર્થ હૈયામાં સોંસરા ઉતરી જાય છે, અને કેટલો કર્મક્ષય, થાય છે. એના બદલે અનાદર, ચક્ય વગેરે હોય તો ઉર્દુ ભારે કર્મબંધ થાય.
(૩) સંવેગ - પણ જરૂરી છે. સંવેગ એટલે ધર્મરાગ-ધર્મશ્રદ્ધાધર્મરંગ, પ્રસ્તુતમાં વાચના અને સૂત્ર-અર્થ પર પણ ઉછળે તો રાગ, શ્રદ્ધા તથા રંગ જોઇએ. શુદ્ધ ધર્મરાગ પહેલો જરૂરી છે કેમકે એ નહિ હોય તો ય એકાગ્ર ભાવે બહુમાનથી વાચના તો. લેવાશે પણ માનપાનાદિની આકાંક્ષાથી, “સારું ભણું તો વિદ્વાન થઇ લોકમાં પૂજાઉં.' આ ઝેર છે, વિષક્રિયા બને છે. એથી આત્મરોગ વધે છે. શુદ્ધ ધર્મરંગ હોય તો તો પવિત્ર જીવનનું એક મહાન કર્તવ્ય સમજીને અને આત્મવિશુદ્ધિકારક માનીને વાચૌં ગ્રહણ થશે. વળી વાચના પર શ્રદ્ધા હશે તો જે લેવાશે તે શ્રદ્ધાથી; તેથી પરિણતિ જ્ઞાન પ્રાપ્ત થશે; નહિતર અભાવીના જેવું પ્રતિભાસ જ્ઞાન; કોઇના ચોપડે કોઇની રકમ, લખવા જેવું ! પોતાને લેવાદેવા નહિ. માટે પરમ શ્રદ્ધાથી લેવાનું.
(૪) સંભ્રમ - સંભ્રમ એટલે અપૂર્વ પ્રાપ્તિનો ઉછળતો હર્ષ. જેમ કોઇને એકાએક લાખો રૂપિયાનો અણધાર્યો વારસો મળી જાય, કે હાથ ખંખેરી નાખેલ રોગમાં પણ કિમિયાગર વૈદ મળી જાય, ચા ગુંડાના ઘેરાવના ભયંકર ભયમાં એકાએક રક્ષક મીલીટરી. પોલિસપાર્ટી મળી જાય તો કેવો અપૂર્વ હર્ષ થાય ? એ સંભ્રમ. -