SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ કાલકુટ ઝેર કરતાંય અનંતગુણ ભયંકર આ મોહનાં ઝેર ચઢ્યા તો અનંત ભવનાં સંસારભ્રમણ ઊભાં કરે છે. સૂત્રાર્થ ગ્રહણ અને આસેવન વિના નવરાં પડેલાં મનમાં એક યા બીજા રૂપે મોહને, રાગ-દ્વેષાદિ ઝેરને વ્યાપ્ત થઇ જવાનો અવસર મળે છે; કેમકે જીવને એના અનાદિના અભ્યાસ છે અને એને યોગ્ય જગતની વાત-વસ્તુ સામે જ પડેલી છે. એટલે જેમ ચવર્તીને ણિધર ડસતાં સારીય ઠકુરાઇ ડૂલ થઇ જાય તેમ અહીં સંયમની બધીય ઠકુરાઇ, મોહનાં ઝેર ચઢતાં, રાગ-દ્વેષાદિનું સામ્રાજ્ય જામતાં, નષ્ટભ્રષ્ટ થઇ જાય છે, અને મુનિ વિષમ-કષાયનો એક રાંકડો કંગાલ ગુલામ બની જાય છે. માટે જ મુનિજીવન એટલે માત્ર સૂત્રાર્થગ્રહણ અને સાધ્વાચારપાલનથી જ ભર્યું ભર્યું રાખવું જોઇએ. એ પરમમંત્રરૂપ હોઇ એથી અસંખ્ય જન્મોનાં કર્મઝેર અને અનંત જન્મોનાં વાસનાવિષને નાબૂદ કરી નાખે છે. પરમસંપત્તિ : ૨૩૮ ———— આ ગ્રહણ-આસેવન શિક્ષા એ લોકોત્તર ક્લ્પવૃક્ષનાં બીજ છે. એમાંથી કેઇ કેઇ પ્રકારની લબ્ધિઓ યાને આત્મશક્તિઓરૂપી પત્રપુષ્પની પ્રાપ્તિ થાય છે, અને અનુત્તર દેવલોક સુધીના સદ્ગતિનાં સુખ તથા કેવળજ્ઞાન અને મોક્ષ સુધીનાં શાશ્વત સુખ રૂપી ફ્ળ નીપજે છે. વિધિગ્રહણનું મહત્વ : ગ્રહણશિક્ષા વિધિપૂર્વક લેવાની છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે, સર્વજ્ઞશાસનના સૂત્ર-અર્થ અને એનું વિધિપૂર્વક ગ્રહણ એ સર્વોત્તમ બીજ સાથે મીઠાં પાણીનો યોગ છે. એમાંથી મનોરમ પાક નીપજે છે. એવું બીજ શું કરી શકે ? અગર અવિધિ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy