SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 - - - - - - - - - - - - - - - - - - સાધુજીવન સ્વીકાર્યા પછી દીક્ષિતે ગુરૂ પાસેથી બે જાતનું શિક્ષણ યાને શિક્ષા, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા-લેવી જ જોઇએ એમ શાસ્ત્રો માવે છે. શિક્ષણ વિનાના કોઇપણ નવા જીવનની કિંમત નથી, કેમકે એમાં ન તો તે જીવનને યોગ્ય વર્તવાનું આવડે, કે ન તો તે જીવનના આદર્શ તરફ પહોંચવા મનોમંથન. જાગે. સાધુ જીવનમાં જો આવું થાય તો માત્ર વેશ પાસે રહી જાય, પરંતુ સાધુતા યોગ્ય કરણીમાં મોટી ખામી આવે; તેમજ શિક્ષણના અભાવે મન બીજી ત્રીજી પ્રવાદી, સાવધ અને પૌલિક વિચારોમાં અટવાયું રહે તેથી સાધુ જીવનના ઊંચા આદર્શ તરીકે સમભાવ, નિસંગદશા અને શુદ્ધ આત્મરમણતા તરફ પ્રયાણ થાય નહિ. માટે સંયમમાં ઊંચી ભૂમિકાએ નહિ પહોંચેલ અને સંયમભાવને સ્થિર નહિ કરેલ સાધુ-સાધ્વીની આ અનિવાર્ય જ છે કે એમણે ગ્રહણ શિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરવામાં સદા કટીબદ્ધ રહી પ્રયત્ન કરવો. | ગ્રહણશિક્ષા એટલે સૂત્ર-અર્થનું ગ્રહણ કરવું; સૂત્રજ્ઞાન અને અર્થજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસેથી શિક્ષણ લેવું તે. આસેવનશિક્ષા એટલે સાધુ-સાધુને સેવવાના આચાર અનુષ્ઠાનો અંગેનું શિક્ષણ લેવું તે. ચક્રવર્તીથી ચઢિયાતાં સુખ આ બંને શિક્ષાનું વિશિકામાં ઉચ્ચ મહત્વ બતાવતાં કહ્યું છે કે જેવી રીતે ચવર્તીપણું પામ્યા પછી ક્ષુદ્ર ક્રિક્યા કરવાનું મન જ થતું નથી એમ આ બે શિક્ષાનું જીવન પામ્યા પછી ક્ષુદ્ર પ્રવૃત્તિ મનમાં જ ઉઠતી નથી; અને જેમ ચક્રવર્તીપણાનો કાળ અત્યંત સુખમાં જ પસાર થાય છે એમ આ શિક્ષાદિનો જીવનકાળ અનુપમ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy