________________
૨૩૪
ચૌદ વણસ્થાનક ભાગ-૩
મહાપુરૂષોએ માવેલી આવી ઉત્તમ જાતિની માતાઓના અભક્ત બનેલા સાધુઓ, સાધુના સ્વાંગમાં હોવા છતાં પણ, સ્વરચ્છન્દચારી જેવા હોઇ, સ્વ-પરનું ધાર્યું શ્રેય સાધી શકતા નથી. પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિઓ રૂપ આઠ માતાઓ પ્રતિ જેઓ બેદરકાર બન્યા હોય, તેઓએ પોતાના શ્રેય માટે પણ દરકારવાળા બનવું એ જરૂરી છે. અન્યથા, અમુક કષ્ટો સહવા છતાં પણ, સંસારપરિભ્રમણ ઉભું જ રહે છે એમ નહિ, પણ વધે છે. ચારિત્રગાનને પેદા કરનારી, એનું પાલન-પોષણ કરી એને વૃદ્ધિને પમાડનારી અને અતિચાર મલના સંશોધન દ્વારા તેને નિર્મલ કરનારી એવી પણ માતાઓ પ્રત્યે, ચારિત્રધર હોવાનો દાવો કરનારાઓને પણ ભક્તિ ન જાગે, તો એ ખરેખર તેઓની કારમી કમનશિબી જ છે. એ કમનશિબી સંસારમાં રૂકાવનારી છે. સાધુવેષને પામેલા આત્માઓએ પણ સમજવું જોઇએ કે-ઉત્તમ પાત્ર તરીકે વર્ણવતા યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અન્વિત જોઇએ, તેમ તેઓ ઇર્યાસમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાનનિક્ષેપ-સમિતિ અને પારિષ્ટાપનિકા-સમિતિ -આ પાંચ સમિતિઓને ધારણ કરનારા તેમજ મનોમિ, વાગૂતિ અને કાયમુર્તિથી શોભતા હોવા જોઇએ. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને આઠ માતાઓ તરીકે જણાવીને, ઉપકારિઓએ સાધુઓને સાચા માતૃભક્ત બનવાનો ઉપદેશ આપ્યો છે. દુનિયામાં પણ માતૃભક્ત જ શોભાને પામે છે, તેમ ચારિત્રધરની સાચી શોભા આ માતાઓની ભક્તિથી જ છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુક્તિઓથી પવિત્ર એવી જે યતિઓની ચેષ્ટા, એને ઉપકારી મહાપુરૂષો સમ્યફચારિત્ર કહે છે : આથી સ્પષષ્ટ જ છે કે-એથી હીન એવી જે ચેષ્ટાઓ તે દુષ્યરિત્ર છે અને ભવવૃદ્વિનું કારણ છે. જેના યોગે ચારિત્રનું જનત, પરિપાલન અને સંશોધન છે, એવી આ આઠ માતાઓ પ્રત્યે ચારિત્રનો અર્થી