________________
૨૩૨
ચોદ ગુણસ્થાનક ભાગ-૩ સિવાય, દિવસે નિદ્રાનો નિષેધ છે. એ મુજબ દિવસના નિદ્રા નહિ લેનારા અને રાત્રિએ પણ પ્રથમ પ્રહર આજ્ઞા મુજબની આરાધનામાં વીતાવ્યા બાદ, ગુરૂને પૂછીને, પ્રમાણયુક્ત વસતિમાં વિધિ મુજબની સઘળીય ક્રિયાઓ કરી વિધિ મુજબ નિદ્રાના લેનારા પણ કાયગતિના પાલક જ છે. વળી એ રીતિએ, ચાલવા અને બેસવા તથા વસ્તુઓને મૂકવા-લેવાના વિધિ મુજબ વર્તનારા મહાત્માઓ પણ કાયગતિના પાલક ગણાય છે.
આ પ્રકારના ગુપ્તિના વર્ણનથી તમે સમજી શકશો કે-મન, વચન અને કાયાના નિરોધને ધ્યેય રૂપ રાખી, મન, વચન અને કાયાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી, એ મન, વચન અને કાયાની ગુક્તિ છે. સ્વચ્છદચારી આત્માઓને તો આ ગુતિઓનું સ્વપ્ર પણ શક્ય નથી. મુનિઓની આઠ માતાઓ :
આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, એ તો મુનિઓની માતાઓ છે, એમ અનંત ઉપકારિઓ માવે છે. દુનિયાના પ્રાણિઓ એક જ માતાથી પાલન-પોષણ પામે છે. ત્યારે શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ આઠ આઠ માતાઓથી પાલન-પોષણ પામે છે. શરીરને પેદા કરનારી, તેનું પરિપાલન કરનારી અને વારંવાર તેનું સંશોધન પણ કરનારી માતા કહેવાય છે. આ આઠ માતાઓ પણ મુનિઓના શરીરને પેદા કરે છે, તેનું પાલન કરે છે અને તેને શોધનપૂર્વક નિર્મલ બનાવે છે. સંસારિઓ પુગલના પિંડને પોતાનું શરીર માને છે, ત્યારે એ શરીરને જેલ રૂપ માનતા મહર્ષિઓ ચારિત્રને જ પોતાનું શરીર માને છે. પુદ્ગલપિંડ રૂપ શરીરને પેદા કરનારી માતા એક જ હોય અને અપવાદ સિવાયના લોકોના એ શરીરને પાળનારી તથા સાફ્યુફ રાખનારી પણ એક