SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ ––––––––––––––––––––––– બગાસું ખાવું અને હુંકાર-આ આદિ ચેષ્ટાઓના ત્યાગપૂર્વક મૌન રહેવાનો અભિગ્રહ કરવો, એ પહેલા પ્રકારની વચનગુપ્તિ છે. જેઓ મૌનની પ્રતિજ્ઞા કરવા છતાં પણ, ચેષ્ટા આદિથી પોતાનાં પ્રયોજનોને સૂચવે છે, તેઓનું મીન નિળજ છે ? કારણ કેમૌનનો જે હેતુ છે તે ચેષ્ટા આદિ દ્વારા પ્રયોજનોને સૂચવવાથી શરતો નથી. વાણીથી થતાં કામો ચેષ્ટા આદિથી કરનારાઓનું મીન, એ નામનું જ મોન છે. પ્રથમ પ્રકારની વાગુતિ રૂપ મોન, સંસારની પ્રવૃત્તિઓમાં મગુલ બનેલાઓ માટે શક્ય નથી. આત્મકલ્યાણમાં હેતુભૂત એવું ઉમદા જાતિનું મૌન તો, સાંસારિક પ્રવૃત્તિઓથી પર રહેલા આત્માઓ માટે જ શક્ય છે. આત્મહિતમાં બાધક એવી પદ્ગલિક પ્રવૃત્તિઓમાં પોતાને અને બને તેટલા પ્રમાણમાં બીજાઓને પણ જોડનારા આત્માઓ, આવા મૌનના ભાવને સમજવા માટે પણ નાલાયક છે. (૨) હવે બીજા પ્રકારની વાન્ગતિ. તત્ત્વજ્ઞાનની વાચના દેવમાં, તત્ત્વજ્ઞાનના સમ્બન્ધમાં પ્રશ્ન કરવામાં અને કોઇએ કરેલા પ્રશ્નનો ઉત્તર દેવામાં, લોક અને આગમનો વિરોધ ન આવે એ રીતિએ મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદન કરીને બોલતા એવા પણ મહાત્મા, વાણીના નિયત્રણવાળા જ મનાય છે. આત્મકલ્યાણ કરનારી વાણી વિધિ મુજબ બોલવી, એ પણ વચનગુતિ છે. પહેલી વચનગુપ્તિ એ છે કે-બોલવું જ નહિ અને બીજી વચનગુતિ એ છે કે બોલવું પણ તે તાત્વિક જ અને તે પણ લોક તથા આગમનો વિરોધ ન આવે એ રીતિએ તથા મુખવસ્ત્રિકાથી મુખનું આચ્છાદના કરીને જ. અર્થાત-નહિ બોલવું એ જેમ વચનગુતિ છે, તેમ હિતકર એવું વચન અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ બોલવું એ પણ વચનગુતિ છે. અવસરે બોલવું જ જોઇએ:
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy