________________
૨૨૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૩ રૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું લ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુવેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોગતિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોગુતિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાના શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
"विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । ૩માત્મારામં મળતૉ -ર્મનોખિરુદ્દાતા II 9 II”
અર્થાત્ – મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએકલ્પના જાલની વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં સ્મરણ કરતું આવા પ્રકારનું જે મન, તેને મનોગુપ્તિ માવી છે.
આર્સ અને રીવ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી લ્પનાઓની જાળથી મુક્ત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગતિ : શાસ્ત્રાનુસારિણી, પરલોક્ન સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી માધ્યચ્ચ પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનેલું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોગુતિઃ અને કુશલા તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુપ્તિ છે. બે પ્રક્ષરની વાગૂતિ:
હવે બીજી છે-વાગ્રુતિ. એના પ્રકાર બે છે.
(૧) મુખ, નેત્રો, ભૃકુટિનો વિકાર, અંગુલિઓથી વગાડવામાં આવતી ચપેટિકા તથા પત્થરનું ક્રવું, ઉંચા થવું,