________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
કમનશિબીને જ સૂચવે છે અને એવી કારમી કમનશિબીથી તેને જાણ્યા છતાંય નહિ કમ્પનારા, એ ભારેમાં ભારે અજ્ઞાનિઓ છે. વળી એક સુંદરમાં સુદર જીવરક્ષા કરવાની પ્રતિલેખના રૂપ ક્રિયાને જ્યારે જીવઘાતનું જ કારણ બનાવતા કેટલાકો જોવાય છે, ત્યારે તો કોઇ પણ વિવેકિને કારમી ગ્લાની થાય એ સહજ છે. એ ગ્લાનિ એમ બોલાવે કે- ‘આ ઉથલપાથલ કરનારાઓનું શું થશે?' -તો તે અસ્વાભાવિક નથી. કેવલ દ્રવ્યક્રિયામાં રાચનારાઓની સઘળી જ ક્રિયાઓ આવી હોય છે. પરના દોષો જોવામાં કુશળ બનેલાઓ, પોતાના દોષો કદી જ જોઇ શકતા નથી. એવાઓએ અનેક ક્રિયાઓની માફ્ક આ પ્રતિલેખનાની પણ કારમી દુર્દશા કરી છે. એવાઓમાં જો થોડી પણ માર્ગરૂચિ હોય, તો ઉપકારિઓએ એવાઓ જાગૃત થાય એવું રમાવ્યું છે. ઉપકારિઓના એ માનને પ્રત્યેક મુનિ પ્રેમપૂર્વક વાંચે, વિચારે અને ખૂબ જ જાગૃત બને તથા
જો પોતામાં એવી જાતિની બેદરકારી આદિ દેખાય તો તેને ખંખેરી નાખવા માટે સજ્જ થાય, એ કલ્યાણકારી છે. પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલા મુનિને અનંત ઉપકારિઓએ છએ કાયોનો વિરાધક ગણ્યો છે. ષટકાયની પોતાનાથી વિરાધના થાય છે, એ જાણતાં જ ભવભીરૂઓને કમ્પારી છૂટવી જોઇએ. મુનિઓને તો ષડ્જવનિકાયના રક્ષક ગણવામાં આવ્યા છે. તેઓ જ જો પ્રતિલેખનાના વિધિ પ્રતિ બેદરકાર બને, તો એ રક્ષકપણું રહ્યું ક્યાં ? પ્રતિલેખનામાં પ્રમત્ત નહિ બનવાનો ઉપદેશ આપતાં પરમ ઉપકારી મહાપુરૂષો સ્પષ્ટ રીતિએ માવે છે કે
“पडिलेहणं कुणंता मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। १ ।।” “પુથ્વીાવણ તેવા વરસતસાળ | ડિલેહણાપમત્તો, છીપ વિરાહનો મળિો || ૨ ||”
૨૨૨