SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ પુસ્થાન ભાગ-૩ ૧ – – –– – – – – – – – – – – – – – ––– – – –– –– – – ધર્મોપકરણોને લેતાં અને મૂકતાં, જોવાની અને પ્રમાર્જિવાની આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરનારા આ ચોથી સમિતિના પાલક બને છે. કોઈ પણ વસ્તુને લેતાં અને તે વસ્તુને મૂકતાં જમીન આદિને બરાબર ચક્ષુથી જોવી જોઇએ અને ચક્ષુથી જોયા પછી રજોહરણ આદિથી એટલે કે પૂજવાને લાયક વસ્તુથી ઉપયોગપૂર્વક પૂજીને લેવી અને મૂકવી જોઇએ. ઉપયોગપૂર્વક નહિ જોનારા અને નહિ પૂજનારા મુનિઓ, આ સમિતિનો ભંગ જ કરે છે, જીવદયાનો પાલક કોઇ પણ મુનિ આ સમિતિની ઉપેક્ષા કરી શકે નહિ. ભૂમિને જોયા કે પ્રમજ્યા વિના જેઓ ભૂમિ ઉપર ધર્મનાં ઉપકરણોને મૂકે છે અને ઉપકરણોને જોયાં કે પ્રમાર્યા વિના જેઓ લે છે, તેઓ ખરે જ આ સમિતિ પ્રત્યે કારમી બેદરકારી કરનારા છે. આ બેદરકારી વધે, તો તે પરિણામે મુનિપણાને હતપ્રહત કરી નાખનારી છે. જોવું એ ચક્ષુથી પ્રતિલેખના છે અને પૂજવું એ રજોહરણાદિ પૂજવાની વસ્તુથી પ્રતિલેખના છે. આ પ્રતિલેખના પણ મુનિઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ અનેક નિમિત્તોથી કેટલાક આની ઉપેક્ષા કરનારા બન્યા છે અને તેઓએ પ્રતિલેખનાને એક નિરૂપયોગી જેવી ચીજ બનાવી દીધી છે. ચક્ષુ કામ આપી શકે એવા સમયે કરવાની પ્રતિલેખના ન કરે અને ચક્ષુ કામ ન આપી શકે એવાં સમયે પ્રતિલેખના કરવાનો ચાળો કરે, એવાઓ પ્રતિલેખના કરે છે કે પ્રતિલેખનાની મશ્કરી કરે છે, એ એક કારમો પ્રશ્ન છે. પ્રતિલેખના, એ એક ઉથલ-પાથલ કરવાની ચા તો વસ્ત્ર આદિ ઉપર પડેલી ધૂળ ખંખેરવાની ક્યિા નથી. પ્રતિલેખના, એ પણ એક ઉત્તમમાં ઉત્તમ જીવદયાની કરણી છે. જીવદયાની આવી ઉત્તમમાં ઉત્તમ કરણી તરફ બેદરકાર બની જેઓ વિદ્વાન બનવા ઇચ્છતા હોય, તેઓ સાચા વિદ્વાન બને એ શક્ય નથી. અનંતજ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિક્યાઓની બેદરકારી, એ કારમી.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy