SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - ચોદ ગુણસ્થાનક ભાગ-3 ૨૧૭ - - તમે કહ્યું તેમ પોતાનું પાપ ઢાંકવા આદિના ઇરાદે પણ સદગુરૂઓની સત્રવૃત્તિઓને નિન્દનારા હોય છે. બાકી સાચું ચતિ જીવન જીવવાને માટે આ સમિતિના પાલનની પણ આવશ્યક્તા છે એ નિર્વિવાદ વાત છે. આ વિધાન મુનિઓને માટે છે, છતાં ગૃહસ્થોને ય બોધપાઠ રૂપ છે. પૌષધમાં તો પાંચેય સમિતિના પાલનનું જ ગૃહસ્થોને માટે ચ વિધાન છે, પરન્તુ તે સિવાય પણ ગૃહસ્થોએ ચાલતી વેળાએ ઉપયોગ રાખવો એ કલ્યાણકર છે. ઉત્તમ ગૃહસ્થો પણ નીચી દ્રષ્ટિએ ચાલનારા હોય છે. નીચી દ્રષ્ટિએ ચાલવામાં શીલને પણ લાભ છે અને ઉપયોગ રાખવામાં આવે તો જીવદયાનું પાલન પણ છે. આથી ગૃહસ્થોએ પણ આનો શક્ય અમલ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. હવે શાસ્ત્રવિધિ મુજબ એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા પણ મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઈ જવો, એ અસંભવિત વસ્તુ નથી : પરન્તુ ઉપકારિઓ માવે છે કે-એવા પ્રકારના ઉપયોગ પૂર્વક ચાલતા મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ થઇ જાય, તો પણ તેમને તે પ્રાણિના વધનું પાપ લાગતું નથી. જીવદયાના પરિણામમાં રમતા અને કોઇ પણ પ્રાણિને ઇજા સરખી પણ ન થાઓ-એ હેતુથી ઉપયોગ પૂર્વક અને શાસ્ત્રવિહિત માર્ગે શાસ્ત્રવિહિત વિધિથી ચાલતા મહાત્માને, કદાચિત થઇ જતી હિંસાથી પાપ લાગતું નથી. એવાઉપયોગશીલ મહાત્મા સર્વ ભાવથી શુદ્ધ હોવાના કારણે, તેઓના કાયયોગને પામીને કોઇ જીવનો નાશ થઇ જાય તો પણ, તે મહાત્માને તે નિમિત્તનો સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહ્યો નથી. જીવ મરે કે ન મરે, છતાં પણ અસદ્ આચાર કરનારને નિશ્ચયથી હિંસા માની છે, જ્યારે સમિતિથી સમિત એવા પ્રયત્નશીલ મહાત્માને માટે હિંસા માત્રથી બંધ માનવામાં આવ્યો. નથી. ઉપયોગહીનપણે ચાલનારો, તેનાથી પ્રાણિવધ કદાચ ન પણ થાય, તોય હિંસક જ છે : કારણ કે-તે સમયે તેને પ્રાણિવધ ન
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy