________________
૨૧૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
_
_
_
—
-
-
—
-
—
—
—
— —
તેવી રીતિએ લંઘવામાં જીવદયાના હેતુને પણ નુક્શાન પહોંચે, તો તે અસંભવિત નથી. આરીતિએ જતુઓની અને સંયમ સાધક શરીરની પણ રક્ષા માટે આ પ્રથમ સમિતિ અતિશય જરૂરી છે, એમાં શંકાને અવકાશ છે ?
સ. જરા પણ નહિ !
હવે ઉપકાર આદિના નામે, કેટલાકો રેલવિહાર આદિની. જે વાતો કરે છે, તે કેવી લાગે છે ?
સ. • આવા ઉત્તમ આચારના પાલનનું જ્યાં વિધાન છે, ત્યાં એ વસ્તુઓનો વિચાર પણ ભયંકર છે.
ઉત્તમ આચારને માનનારા આમ જ માને છે અને વર્તે છે, પણ પાપાત્માઓ આવા માર્ગની પણ અવગણના કરીને ઉન્માર્ગે ચાલે છે અને એનો પ્રચાર કરવાનું પણ કારમું પાપ આચરે છે. રાત્રિના સમયે ભટકનારા અને રેલવિહાર આદિના કરનારા વેષધારિઓ જ્યારે સન્માર્ગનો પણ વિરોધ કરે છે, ત્યારે તેઓ દયાના પરિણામથી પણ પરવરેલા હોય એવા લાગે છે. એવાઓને આ સમિતિનું વર્ણન પણ ખટકે એ સ્વાભાવિક જ છે.
સ. તેવા પાપી આત્માઓને ખટકે, કેમકે-તેમનું પાપ ઉઘાડું પડી જાય ને ? મારા જેવાને તો આ બહુ જ ગમે છે.
જે આત્માઓ કોઇ પણ કુલમાં ઉત્પન્ન થવા છતાં પણ, તથા પ્રકારની યોગ્યતાને ધરનારા હોય છે અને સમ્યગ્દર્શનને પામેલા નહિ હોવા છતાં પણ, ભદ્રિક્તા આદિ ગુણોને ધરનારા હોય છે, તે આત્માઓને આવાં વિધાનો રૂચિકર નિવડે તે સ્વાભાવિક જ છે. ઘોર મિથ્યાત્વમાં સબડતા વેષધારિઓને અને તેવા બીજા પણ અયોગ્ય આત્માઓને આવાં વિધાનો ન રૂચે. એવા પામરોની તો કોઇ દશા જ જૂદી હોય છે. કેટલાકો તો દેવગુરૂ-ધર્મની સાથે કુટીલ રમત રમવાને ટેવાઈ ગયેલા હોય છે અને