SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — — — — — ૨૧૫ — – — ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ — — — સ્પર્શય, ત્યાર બાદ જ તેવા પણ માર્ગે જરૂર મુજબ ઉપયોગથી ચાલવું જોઇએ. સૂર્યનાં કિરણોનો સ્પર્શ થવાથી, સંપાતિમ જીવોનો નાશ થઇ જ જાય છે, એટલે સૂર્યનાં કિરણોના યોગે સમ્પાતિમ જીવોનો અભાવ હોય છે અને લોકો ખૂબ ચાલતા હોવાથી, અન્ય જીવોનો પણ અભાવ હોય છે એથી એવે રસ્તે, દિવસના અને તે પણ જરૂરી કારણે, ઉપયોગપૂર્વક ચાલતા મુનિઓ પોતાના અહિંસાધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરી શકે છે. સ, જીવદયાના પાલન માટે અજબ જેવી કાળજી રાખવામાં આવી છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને જે અજોડ કહેવામાં આવે છે, તે વિના કારણે નથી. યોગ્ય આત્માઓ વિવેકપૂર્વક અભ્યાસ કરે, તો તેમને શ્રી જેનશાસન અજોડ લાગ્યા વિના રહે જ નહિ. તેમને અવશ્ય ખાત્રી થાય કે સ્વપરના લ્યાણનો આ જ એક વાસ્તવિક માર્ગ છે. સુન્દર ભવિતવ્યતા તથા લઘુકર્મિતાના યોગે મોક્ષનું અર્થિપણું હોય, એ માટે સદ્ધર્મને શોધવાની તીવ્ર વૃત્તિ હોય અને આગ્રહરહિતપણું આદિ હોય, તો આ શાસનની યથાર્થવાદિતા સમજાવી મુશ્કેલ નથી. હવે આ રીતિએ જન્તુઓની કાળજી ધરાવનાર આ શાસને, જતુઓને અભયદાના દેવા માટે જ દીક્ષિત થયેલા મુનિઓનું શરીર, કે જે ધર્મશરીર છે, તેની રક્ષા માટે ખૂબ જ કાળજી કરી છે. મા જેમ પોતાના બચ્ચાને ખાડા-ટેકરા કુદવાની મના કરે, તેમ ઉપકારિઓએ પણ મુનિઓને ખાડા-ટેકરાવાળા વિષમ માર્ગોને નહિ લંઘતાં, થોડું અધિક ચાલવું પડે તો તેમ કરીને પણ, એવા પ્રદેશોને નહિ લંઘવા એમ માવ્યું છે ? કારણ કે-એવા લંઘન આદિ કરવામાં ધર્મશરીરને હાનિ પહોંચવાનો સંભવ છે. એને હાનિ પહોંચવાથી મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીની આરાધનામાં વિઘ્ન આવવાનો પણ સંભવ છે. વળી.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy