SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 મુનિઓ, તેવા કોઇ આવશ્યક પ્રયોજને ચાલવું પડે ત્યારે પણ કેવા માર્ગે ચાલે, એ માટેય ઉપકારિઓએ સુંદર વિધાન કર્યું છે. ઉપકારિઓ માવે છે કે-મુનિઓ તે જ માર્ગે ચાલે, કે જે માર્ગ લોકોથી ખૂબ ખૂંદાયેલો હોય લોકો જે માર્ગે ન ચાલતા હોય, તે માર્ગે ચાલવું એ પણ મુનિઓ માટે ઉન્માર્ગ કહેવાય છે. લોકો જે પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે- “આ પ્રમાણેના સુંદર સમતાની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા ઉદાર અને અનુત્તર શ્રી વિજયના વૃત્તને એકતાનતા પૂર્વક સાંભળીને, હે ગુણશાલી ભવ્યજનો ! જન્મના છેદ માટે, એટલે કે-મુક્તિને માટે તમે ‘પ્રકૃતિસૌમ્ય' નામના ગુણને ધારણ કરો !” આ કથન દ્વારા શ્રી વિજયના ચરિતના હેતુને સ્પષ્ટ કરવા સાથે, ભવ્ય જીવોને જન્મ છેદવાનું જ ઉપકારી માવે છે. જન્મ જ દુઃખનું આશ્રયસ્થાન છે ઃ કારણ કે-સુંદર જીવન દ્વારા જો મરતાં આવડે, તો એ મુક્તિ માટે થાય છે. જન્મેલાને મુક્ત થવા માટે મરણની જરૂર છે, પણ કર્મક્ષય સાધ્યા પછી મરેલાને મુક્ત થવા માટે જન્મની જરૂર નથી, માટે ઉપકારી જન્મના છેદ માટે જ આ ‘પ્રકૃતિસૌમ્ય' ગુણનો આશ્રય કરવાનું માવે છે. જે માર્ગે લોકો ખૂબ ચાલતા હોય, તે માર્ગે છએ કાયના જીવો હોવા સંભવિત નથી : એ કારણે લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય તેવા માર્ગે મુનિઓએ ચાલવું, કે જેથી છ કાયના જીવોની વિરાધના થાય નહિ. એવા પણ માર્ગે જો રાત્રિના ચાલવામાં આવે, તો રાત્રિના સમયે ઉત્પન્ન થઇ થઇને પડેલા જે સમ્પાતિમ ત્રસ જીવો, તેની વિરાધના થાય : એ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે-એવા પણ માર્ગે રાત્રિના વખતે મુનિઓએ ચાલવું નહિ. લોકો દ્વારા અત્યન્ત ખૂંદાએલા માર્ગે પણ યતિઓએ રાત્રિનાસમયે નહિ ચાલવું જોઇએ, પરન્તુ જ્યારે તે માર્ગ સૂર્યના કિરણોથી ૨૧૪
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy