________________
૨૦૮
ચોદ ||સ્થાનક ભાd-3
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તરીકે થાય છે. આ ચાર કક્ષા ક્રમિક છે. આરાધક જીવ પહેલાં પ્રીતિ-અનુષ્ઠાનથી શરૂઆત કરે છે, અને આગળ વધતાં ભક્તિઅનુષ્ઠાન વગેરેની કક્ષાએ ચઢે છે. આ ચારે ય અનુષ્ઠાન ઉપાદેય છે, આત્મવિશુદ્ધિ કરનારા છે, માટે તેનું આરાધન, બીજો કોઇ ભૌતિક સ્વાર્થ લેશ પણ રાખ્યા વિના, અત્યંત ઉપાદેય. બુદ્ધિથી થવું જોઇએ, તેમજ એનાં એનાં લક્ષણ-સ્વરૂપ સાચવીને થવું જોઇએ. ચારેયના લક્ષણ-સ્વરૂપ આ પ્રકારે છે :
(૧) પ્રીતિ-અનુષ્ઠાન - જે અનુષ્ઠાન (ક્યિામાં) (૧) આદર એટલે કે અતિશય પ્રયત્ન હોય અને (૨) પ્રીતિ, અભિરુચિ હોય, તેમજ તે ક્રિયા વખતે (૩) બીજા પ્રયોજનોનો ત્યાગ રાખે, અને (૪) એટલી બધી તે ક્રિયામાં એકનિષ્ઠતા હોય તે, પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. એથી ક્રિયાકારકનો કલ્યાણકારી ઉદય થાય છે.
(૨) ભક્તિ-અનુષ્ઠાન – જે અનુષ્ઠાનમાં (૧) પૂજ્યભાવનો અધિક સંબંધ થયો હોય, જે અનુષ્ઠાન કરનાર (૨) વિશેષ સમજ ધરાવતો હોય, અને (૩) ક્રિયારૂપે પ્રીતિ-અનુષ્ઠાનને સમાન હોય; છતાં એના કરતાં (૪) જે અધિક વિશિષ્ટ વિશેષતાવાળી પ્રવૃત્તિવાળું હોય, તેને ભક્તિ-અનુષ્ઠાન જાણવું.
(3) વરાનાનુષ્ઠાન - (૧) જિનાગમકથિત આદેશને જરાયા ન ભૂલવાપૂર્વક જે ક્રિયા થતી હોય, તેમજ જ્યાં (૨) સમસ્ત ક્ષમાદિ ચતિધર્મનું નિરતિચાર પાલન હોય, અને (૩) પડિલેહણ (સૂક્ષ્મપણ જીવની હિંસા ન થાય એની કાળજીવાળું વસ્ત્ર પાત્ર ભૂમિ વગેરેનું નિરીક્ષણ-પ્રમાર્જન) વગેરે ધર્મયોગોમાં દેશ-કાળ-પુરુષ
વ્યવહારાદિનું ઔચિત્ય અર્થાત્ એને અનુકૂળ ભાવ જળવાતો. હોય, એ ક્રિયા વચનાનુષ્ઠાન છે. એ નિશ્ચયનયની દ્રષ્ટિએ ચારિત્રવાન સાધુને જ હોય છે. કેમકે એમનું ગુણસ્થાનક છટું સર્વ વિરતિનું હોવાથી ત્યાં લોકસંજ્ઞાનું બંધન નથી હોતું અને એજ