________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
ઉદીરણા કરાય....વગેરે.
શાસ્ત્રસંકલેશ બે રીતે થવાનું કહે છે, -સનિમિત્તક અને અનિમિત્તક અર્થાત નિમિત્ત પામીને અને નિમિત્ત પામ્યા વિના. નિમિત્ત એટલે તો કારણ; કારણ વિના કાર્ય કેમ
બને ?
પ્ર.
-
૨૦૭
અહીં ‘નિમિત્ત' નો અર્થ છે બાહ્ય કારણ. સંક્લેશ ઉત્પન્ન થવામાં આભ્યન્તર કારણ કર્મનો ઉદય તો હોય જ છે, પરંતુ કેટલીક વાર બાહ્ય નિમિત્ત હાજર ન હોય તો પણ સંકલેશ લઇ આવે છે, અને કેટલીક વાર બાહ્ય કારણ ઊભાં થયા પછી જ સંક્લેશ જાગે છે.
સંકલેશ થવામાં બાહ્ય નિમિત્ત તરીકે (૧) ઇન્દ્રિયોનો વિષય સંપર્ક બને છે. દા.ત. વિજાતીયનું રૂપ જોતાં કે વિષયવિલાસનાં ગીત સાંભળતાં ચિત્તમાં રાગાદિ સંકલેશ જાગે છે. તેમ, (૨) પૂર્વ ભુક્તનું સ્મરણ કરાય તે પણ સંકલેશનું નિમિત્ત બને છે. પૂર્વે ભોગવેલા વિષયો યાદ કરવા જતાં સંકલેશ જાગે છે. વળી, (૩) દૂધ દહીં-ઘી વગેરે રસોના આહાર અથવા લુખ્ખો પણ વધુ પડતો આહાર શરીરમાં વિકાર જગાડી સંક્લેશ પેદા કરે છે. તેમજ, (૪) તેવા સંક્લિષ્ટ સાધુ વગેરેના સંસર્ગમાં રહેવાથી પણ સંક્લેશ જાગે છે...વગેરે.
આ સૂચવે છે કે સંકલેશથી બચવા માટે આ નિમિત્તોથી દૂર રહેવું જોઇએ, નિમિત્તો સેવવાં જોઇએ નાંહે.
પ્રીતિ-ભક્તિ-વચન -અસંગ અનુષ્ઠાન.
ધર્મના અનુષ્ઠાન ચાર પ્રકારે કરાય છે, - (૧) પ્રીતિથી, (૨) ભક્તિથી, (૩) શાસ્ત્રવચનથી અને (૪) અસંગપણે. માટે તેની ઓળખ પણ પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન. ઇત્યાદિ