SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ - - - - - - - - - - ---- - - - - ચૌદ |PIDાળક ભાગ-૩ - - - - - આચાર ખીલે ” જ્ઞાનના સંકલ્પમાં દા.ત. “કેમ હું જ્ઞાનના અતિચારોથી બચું ! ગુરુવિનયાદિ જ્ઞાનાચાર કેમ વધુ ને વધુ વિકસ્વર થાય ! કેમ મારામાં અધિકાધિકા સભ્યજ્ઞાન વૃદ્ધિ પામે !” ચારિત્રના સંકલ્પમાં દા.ત. મનને એમ થાય કે “કેમ હું શુદ્ધ ચારિત્રી બનું ! કેમ મારામાં પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોની વિશેષ પ્રાપ્તિ થાય ! હું સમિતિ-ગુપ્તિનો પ્રતિપળ નિરતિચાર પાળનારો બનું !” દર્શન-જ્ઞાન-ચારિત્રના સંકલ્પો ચિત્તમાં રમતા રાખવાથી ઇન્દ્રિયોના વિષયો તથા કષાયોના સંકલ્પ-વિકલ્પોથી ઘણું બચી જવાય છે, ચિત્ત-અધ્યવસાય વિશુદ્ધ બને છે, ઉત્તમ સંગીન શુભા સંસ્કરણ ઊભું થાય છે, વગેરે અમૂલ્ય લાભો છે. સંક્લેશ : આત્મામાં પરિણામ બે જાતના, (૧) કષાય અથવું સંકલેશના; (૨) વિશુદ્ધિના. આત્મા, કામ, ક્રોધ, લોભ વગેરેની લાગણીમાં તણાયો હોય તો કષાયના પરિણામવાળો, સંક્લેશવાળો કહેવાય. એમાંથી પાછો વળે, બ્રહ્મચર્ય, ક્ષમા, નિસ્પૃહતા વગેરેના ભાવમાં ચડે તો તે વિશુદ્ધિમાં વર્તતો કહેવાય. અહીં ઝોક મુખ્ય છે. જીવનો ઝોક કઈ તરફ છે, કષાય તરફ ? કે ક્ષમાદિ તરફ ? એક જ ગુણઠાણે અમુક સમયે બે આત્મા વર્તતા હોય. પરંતુ એક ઉપર ચઢી રહ્યો હોય ને બીજો નીચે ઉતરતો હોય; તો આમ તો ત્યાં અધ્યવસાયનું સ્થાનક બંનેને સમાન છે, છતાં ઉપર ચઢી રહેલો વિશુદ્ધિમાં છે, અને નીચે ઉતરી રહેલા સંક્લેશમાં છે. આ પરથી સૂચિત થાય છે કે વિશુદ્ધિ જાળવવી હોય અને સંકલેશથી બચવું હોય તો મનના પરિણામ ક્ષમાદિ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy