________________
ચૌદ ગુણસ્થાનક માણ-3
ભાવનાઓ દ્વારા પાંચે મહાવ્રતો રૂપ પર્વતોના મહાભારને સારી રીતિએ વહન કરવામાં આત્માને પ્રવણ બનાવવાની જરૂર છે. એ વિના બે પ્રકારના ધર્મમાં પ્રથમનો જે ‘સુસાધુધર્મ' તેનું પાલન શક્ય નથી, માટે આત્માને તેવો બનાવવા આ ભાવનાઓનું ખૂબ ખૂબ પરિશીલન કરવું એય જરૂરી છે. દશવિધ સામાચારી સંબંધી સમજણ ઃ
૧૯૬
સ. દશવિધ સામાચારી કોને કહેવાય છે ?
૧-ઇચ્છાકાર, ૨-મિચ્છાકાર, ૩-તથાકાર, ૪-આવશ્યકી, ૫-નૈષેધિકી, ૬-આપ્રચ્છના, પ્રતિપ્રચ્છના, ૮-છંદના, ૯-નિમંત્રણા અને ૧૦-ઉપસમ્પદ્ -આ દશ પ્રકારે સામાચારી કહેવાય છે.
કરણીય પ્રવૃત્તિ આજ્ઞાદિના યોગે કરવી અને સ્વતઃ કરવાની ઇચ્છા જન્મે એથી કરવી, એ બે વચ્ચે ભેદ છે. કરણીય પ્રવૃત્તિમાં સ્વતઃ ઇચ્છાથી જ પ્રવૃત્ત થવું, એનું નામ છે- ‘ઇચ્છાકાર' અન્ય કોઇ મહાત્મા પાસેથી કામ લેવું હોય ત્યારે આજ્ઞા નહિ કરતાં એમ કહેવું કે- ‘તમારી ઇચ્છા હોય તો કરી આપો' -એનું નામ પણ ઇચ્છાકાર કહેવાય છે.
સાધુજીવનમાં અતિજરૂરી દશવિધ સામાચારી
સાધુજીવનમાં હંમેશા દશ પ્રકારની સામાચારીનું પાલન કરવા તરફ ખૂબજ લક્ષ રાખવાનું હોય છે. તે દશ પ્રકાર આ પ્રમાણે છે
ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપ્રચ્છના, પ્રતિપ્રચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા. (૧) ઇચ્છાકાર - મુનિ-જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય