________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
ત્યાગી હોવાના સ્વાંગમાં હોવા છતાં પણ, પાંચે પ્રકારના વિષયોની આસક્તિના પ્રતાપે આત્મા પરિગ્રહ નહિ છતાં પણ પરિગ્રહધારી કરતાંય ઘણું ઘણું રીબાય છે. આ સઘળીય રીબામણથી બચવા માટે આ પાંચે ભાવનાઓને આત્મસાત્ કરવા આત્માને ખૂબ જ બળવાન બનાવવો પડશે. પાંચે વિષયોનું અસ્તિત્વ સારા-નરસા ઉભય રૂપમાં હતું, છે અને રહેવાનું છેઃ એના નાશ માટેનો પ્રયત્ન, એ તો પાગલનું કામ છે. માત્ર આપણે તો એની હયાતિમાં પણ અને એ ઇંદ્રિયોના વિષયમાં આવવા છતાં પણ, આ પાંચ ભાવનાઓના પ્રતાપે એના પ્રતિના સારામાં રાગથી અને ખોટામાં દ્વેષથી બચવાનું છે. એ રીતિએ બચવું એ અતિશય આવશ્યક છેઃ કારણ કે-એ વિના મુક્તિની પ્રાપ્તિ નથી.
પરિશીલનની જરૂર ઃ
૧૯૫
આ પચીસે ભાવનાઓથી ભાવિત થયા વિના પાંચ મહાવ્રતો રૂપ પર્વતો, એનો જે મહાભાર, તેનું સારી રીતિએ વહન કરવામાં આત્મા પ્રવણ બની શક્તો નથી. એવી પ્રવણતા આત્મામાં લાવવા
માટે, આ પચીસે ભાવનાઓને આત્મસાત્ બનાવવાની અનિવાર્ય જરૂર છે. એ જ કારણે ઉપકારિઓ રમાવે છે કે
“ભાવનામિર્માવિતાનિ, પપામ: પપમિ: માાત્ | મહાવ્રતાનિ નો સ્ય, સાયન્યત્યયં પમ્ ||9||”
જેઓ દ્વારા મહાવ્રતો ભાવિત કરાય છે, એટલે કે ગુણવિશેષવાળાં બનાવાય છે, તે ભાવનાઓ છે, ક્રમે કરીને પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયેલાં મહાવ્રત કોને અવ્યય પદ નથી સાધી આપતાં ? અર્થાત્ - આ પાંચેય મહાવ્રતો પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત કરાયાં થકાં કોઇને પણ શ્રી સિદ્વિપદ સાધી આપે છે. મહાવ્રતો સારી રીતિએ વહન કરાય તો જ શ્રી સિદ્ધિપદને આપનારાં થાય અને એ માટે આ ભાવનાઓ જરૂરી છે, માટે આ