SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે એ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્ભાદિથી અજ્ઞાનો આકર્ષવા એ શક્ય છે. પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સુશ્રદ્ધાળુ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવનાઓ : ૧૮૯ હવે આપણે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓના સંબંધમાં પણ થોડુંક વિચારી લઇએ. ‘બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ કાંઇ પણ ન હોવું' -એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ છે. ‘સ્પર્શ, રસ, ગંધ, રૂપ, ચક્ષુ, શબ્દ' -આ પાંચ સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇદ્રિયોના વિષયો છે. સુંદર એવા સ્પર્શાદિમાં ગૃદ્વિપણાનું વર્જન અને અસુંદર એવા સ્પર્શાદિમાં દ્વેષનું વર્જન-એ પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનો રહસ્યાર્થ છે. સુસ્પર્શદિમાં આસક્તિ અને અસુંદર સ્પર્શદિમાં ઉદ્વિગ્નતા, એ આત્માની પરિગ્રહમય દશાનું પ્રતીક છે. પાંચમા મહાવ્રતને પામીને તેને સુવિશુદ્ધ રીતિએ પાળવા હોય, તો આ પાંચ ભાવનાઓથી રંગાઇ જઇ આના અમલ માટે ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરૂર છે. સુન્દર સ્પર્શની આસક્તિ અને અસુન્દર સ્પર્શની ઉદ્વિગ્નતા ન જોઇએ : ૧- ‘સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતા.' -એ પાંચમા મહાવ્રતને દૂષિત કરનારી વસ્તુ છે, માટે ‘એ બેનો પરિત્યાગ એ જ મુખ્ય કર્તવ્ય છે.' -આ જાતિની પહેલી ભાવના, એ પાંચમા મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ખૂબ આવશ્યક છે. જેઓ સુંવાળા સ્પર્શનવાળાં વસ્ત્રો, કોમળ સ્પર્શવાળી શય્યાઓ અને સુંદર સ્પર્શવાળા સંયોગ આદિના આસેવનમાં આસક્ત છે,
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy