________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૮૧
–
–––
–
–
–
દર્શનમાં આસક્ત બનેલો પતંગિયો જેમ વિનાશને પામે છે તેમ, અવશ્ય વિનાશને પામે છે. ચોથી ભાવનાના આ અંશમાં ચક્ષુ ઉપર પૂર્ણ કાબૂ ધરાવવો એ પરમાર્થ છે. ચક્ષુ દ્વારા રૂપદર્શનમાં રક્ત બનેલો બ્રહ્મચર્યને શીર્ણ-વિશીર્ણ કર્યા વિના રહેતો જ નથી. રૂપદર્શનના શોખીન આત્માઓ સાચા સ્વરૂપમાં સંયમજીવનને જીવી શકતા નથી. સંયમને સાચા સ્વરૂપમાં જીવવા માટે ચક્ષુ ઉપર ખૂબ જ અંકુશ રાખવાની જરૂર છે. શરીરસંક્ષરોને તજવા જોઇએ :
આ ભાવનાનો બીજો અંશ એ છે કે-પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન કરવું. શરીરના પૂજારીઓ આ વસ્તુનો અપલાપ કરવાનું પણ સાહસ કર્યા વિના રહેતા નથી શરીર સ્વરૂપથી અશુચિ છે. એને શુચિ કરવાના મનોરથ, એ પણ એક મોહનો જ ચાળો છે. સ્નાન, વિલેપન, ધૂપન, નખકર્તન, દત્તશોધન અને કેશસમ્માર્જન આદિ સંસ્કારો, એ બ્રહ્મચારી આત્માઓ માટે અવશ્ય વર્ય છે. અશુચિ એવા શરીરના સંસ્કાર કરવામાં મૂઢ બનેલો આત્મા, તે તે જાતિના વિચિત્ર વિકલ્પો દ્વારા આત્માને વિના કારણ આયાસિત બનાવનારો છે. શરીરની સફ઼ઇનો શોખ, એ પણ એક કામનો જ ચાળો છે. મારું શરીર સારું દેખાવું જોઇએ.” -એ ભાવના વિલાસના ઘરની છે. સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરની સુંદરતા દર્શાવવાની અભિલાષા-આ બેચા વસ્તુઓ અંતરમાં રહેલ વિલાસની ભાવનાની ધોતક છે. બ્રહ્મચર્યના પ્રેમીએ એ બેય વસ્તુઓને તજવાની ભાવનાને લગતી બનાવીને જ જીવવું જોઇએ. એવી સદ્ઘ ભાવનાથી ઓતપ્રોત બનેલું જીવના જીવનારા, બ્રહ્મચર્યના સાચા આસ્વાદનો અનુભવ કરી શકે છે. ચોથા મહાવ્રતને આનંદપૂર્વક જીવનમાં જીવવું હોય, તો આ