________________
૧૮૨
સોદ ગુણસ્થાનક ભાd-3
- -
- -
-
-
- -
-
–
––
––
––
––
––
––
––
––
––
ભાવનાને અમલના રૂપમાં જીવવામાં સહજ પણ પ્રમાદ કરવો એ ઉચિત નથી. એવો પ્રમાદ, એ તો આત્માના હિતની સાધનામાં જ પ્રમાદ કરવાનો ધંધો છે. પ્રણીત અને અતિ ભોજન ત્યાજ્ય છે -
પ- હવે ચોથા મહાવ્રતની છેલ્લી એટલે પાંચમી ભાવનાનું નામ છે- “પ્રણીત અને અતિ અશનનો ત્યાગ.” પ્રણીત આહાર એને કહેવાય છે, કે જે વીર્યવર્ધક હોય; સ્નિગ્ધ અને મધુર આદિ રસવાળો હોય. આવો આહાર જો નિરંતર કરવામાં આવે, તો તેથી પ્રધાન ધાતુનું અવશ્ય ખૂબ ખૂબ પોષણ થાય છે અને એના પ્રતાપે વેદોદય એ સ્વાભાવિક બની જાય છે. પરિણામે અબ્રહ્મને સેવવાની દુર્બુદ્ધિ જાગે અને એવો પ્રસંગેચ આવી લાગે, તો એ પણ અસંભવિત નથી. અપ્રણીત એટલે રૂક્ષ ભોજન એ પણ જો અતિ એટલે આકંઠ ઉદર ભરાય એવી રીતિએ કરવામાં આવે, તો એથી પણ નુક્શાન થાય છે, એ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારૂં પણ છે અને શરીરને પણ પીડા કરનારૂં છે, માટે અવશ્ય વર્યું છે. આ ભાવનાથી રંગાયેલો આત્મા તેવા કોઇ ખાસ કારણ સિવાય, રસવાળા આહારની છાયામાં પણ ન જાય. વિગઇઓનો રસ, એ બ્રહ્મચર્ય પ્રત્યેના રસનો અભાવ સૂચવે છે. રસના શોખીનો બ્રહ્મચર્ય તરફ જેવા જોઇએ તેવા સભાવવાળા નથી હોતા, એમ માનવામાં કશી જ હરકત નથી. એવાઓ જો બ્રહ્મચર્યનો કારમી રીતિએ વિનાશ ન કરે, તો એને અહોભાગ્ય જ માનવાનું રહ્યું. અતિ ભોજન રૂક્ષ આહારનું હોય તો પણ બ્રહ્મચર્યની ક્ષતિ કરનારું મનાયું છે, તો પછી રસમય આહારનું અતિ ભોજન તો અતિશય ખરાબ ગણાય એ સ્વાભાવિક જ છે. આજે જે જે આત્માઓ રસમય, અને તે પણ અતિ એવા ભોજનનો આસ્વાદ કરવામાં અનુરક્તા