SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ – – ચૌદ ગુણસ્થાનક ભાવ-૩ – –– –– – –– –– –– –– --— - - - - - - - - - એમાંય કામવિલાસની સ્મૃતિ, એ તો આત્માને ઉન્મત્ત બનાવનારી નીવડે છે. જેઓને- “હું આમ પરસ્યો હતો અને પરણતી વખતે આમ બેઠો હતો અને તેમ બેઠો હતો.” આવી આવી વાતો કરવામાં આનંદ આવે છે, તેઓ કામવિલાસમાં જ મરી રહેલા હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ એવાઓને એવી એવી રીતિએ કામવાસનાને તૃપ્ત કરવા માટે કામની ચેષ્ટાઓ કર્યા કરવી પડે છે. સાચે જ, સાચા બ્રહ્મચારી આત્માને આવી વાતો કરવાનું, સાંભળવાનું વાંચવાનું મન સરખું પણ થતું નથી. જેઓ આવી પૂર્વ સ્મૃતિથી સદાય પરામુખ રહે છે, તેઓ પોતાના બ્રહ્મચર્યને સો ટચના સોનાની માફ્ટ સુવિશુદ્ધ રાખી શકે છે. રૂપદર્શનની મનાનો પરમાર્થ - ૪- ચોથા મહાવ્રતની ચોથી ભાવના- “સ્ત્રીઓના મનોહર અંગોનું નિરીક્ષણ અને પોતાના શરીરના સંસ્કારનું પરિવર્જન’ - એ નામની છે. મુખ, નયન, સ્તન અને જઘન આદિ સ્ત્રીઓનાં અંગો, કે જેને અવિવેકી લોકો રમ્ય અગર સ્પ્રહણીય માને છે, તે અંગોનું અપૂર્વ વિસ્મયરસથી ભરપૂર બનીને-આંખો ફાડી ફાડીને અવલોકન કરવું, એ પણ બ્રહ્મચર્યના વિનાશનું પરમ કારણ છે. રાગ-દ્વેષથી રહિત આત્માનું ઇક્ષણ, એ તો ચક્ષુના વિષયમાં આવી જાય એવું જ હોય છે, એટલે એવું ઇક્ષણ અયોગ્ય નથી : કારણ કે-ચક્ષના વિષયમાં આવેલા રૂપને ન જોવું એ શક્ય નથી : પણ આ ભાવના દ્વારા ઉપકારિઓ તો સારા રૂપમાંરાગ કરવાનો અને ખરાબ રૂપમાં દ્વેષ કરવાનો નિષેધ કરે છે. રાગપૂર્વક રૂપનું ઇક્ષણ, એ આત્માના વિનાશનું પરમ કરાણ છે અને એ જ માટે ઉપકારિઓ માવે છે કે-અવિવેકી જનોની અપેક્ષાએ સ્ત્રીઓનાં રમ્ય ગણાતાં અંગોને જોવામાં તરલિત ચક્ષવાળો બનેલો આત્મા, દીપશિખાના
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy