SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાવ૫-૩ ૧૭૯ — — — — — — — — — — — — — — — — — — છે, અમુક જાતિની સ્ત્રીઓ આવી અને તેવી હોય છે, અમુક કુલની સ્ત્રીઓ બહુ સારી અને અમુક કુલની સ્ત્રીઓ બહુ ખરાબ તથા ભિન્ન ભિન્ન દેશોની સ્ત્રીઓનાં વસ્ત્રો, ભાષા, ગતિ, વિભ્રમ, ઇંગિત, હાસ્ય, લીલાકટાક્ષ, પ્રણયકલહ આદિને સ્પષ્ટ કરતી શૃંગારરસથી અનુવિદ્ધ એવી રાગાનુબધિની કથા, એ પવન જેમ સાગરને ક્ષોભ પમાડે છે તેમ, ચિત્ત રૂપી સાગરને અવશ્ય ક્ષોભ પમાડે છે ? માટે સ્ત્રીઓએ પુરૂષોની અને પુરૂષોએ સ્ત્રીઓની શૃંગારરસવાળી રાગાનુબન્ધિની કથા બંધ કરવી જ જોઇએ. આવી ળવતી ભાવનાને પ્રત્યેક મહાવ્રતીએ આત્મસાત બનાવી દેવી. જોઇએ. આ ભાવના એ બ્રહ્મચર્યને સુવિશુદ્ધ રાખવા માટે ઘણી જ જરૂરી છે. આ ભાવના ભાવવામાં અને એના અમલમાં જેટલી કચાશ તેટલી ખામી સુવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનમાં પણ મોટે ભાગે આવ્યા વિના રહેતી નથી : આ કારણે, સંયમી આત્માઓએ સંયમની વિશુદ્ધિ માટે આ ભાવનાને અમલી બનાવી, એની ઉપાસનામાં જ એકતાન થવું એ એકાંતે હિતાવહ છે. પૂર્વરતનું સ્મરણ પણ ન ક્રવું - ૩- ચોથા મહાવ્રતની ત્રીજી ભાવના- “પૂર્વરતસ્મૃતિ વર્જન' એ નામની છે. દીક્ષા પહેલાં અથવા તો બ્રહ્મચર્યના સ્વીકાર પહેલાં ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીઓ સાથે કરેલી જે કામક્રીડાઓ, તેની સ્મૃતિનું પણ વર્જન કરવું, એ આ ત્રીજી ભાવનાનો પરમાર્થ છે. ખરેખર, આ ભાવના જો આત્મસાત બની જાય, તો પૂર્વની સ્મૃતિ આવે પણ, નહિ અને કદાચ આવે તો આત્મા એને હાંકી કાઢ્યા વિના રહે જ નહિ. પૂર્વની કામક્રીડાઓનું સ્મરણ કરવાથી કામાગ્નિ સળગી ઉડ્યા વિના રહેતો નથી. કુસંસ્કારો ઝટ જાગૃત થઇ જાય છે. કુસંસ્કારોની જાગૃતિ આત્માને કલુષિત કર્યા વિના રહેતી નથી.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy