________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૭૭
-
—
—
—
—
— —
—
—
—
—
—
—
—
—
સેવનમાં રક્ત હોય છે. એવા આત્માઓના વસવાટવાળી વસતિનો અને તેવાઓથી સેવાતા આસનનો પરિત્યાગ, એ પણ બ્રહ્મચર્યના સુવિશુદ્ધ પાલન માટે આવશ્યક છે-આવી ભાવના પણ સાચા બ્રહ્મચારીના અંતરમાં અવિરતપણે વર્તનાર હોય. સંભાવ્યમાના મૈથુનવાળાં પશુઓ, જેવાં કે-ગાય, ભેંસ, ખચરી, ગધેડી, બકરી અને બોડી આદિ, એ વસેલાં હોય એવી વસતિ અને એવું આસન, એ પણ તજવા યોગ્ય છે. એ જ રીતિએ એવી ભીંત આદિના એવા આંતરે રહેવાનો પણ ત્યાગ કરવો જોઇએ, કે જ્યાં રહ્યાં થકાં દમ્પતિના મોહ પમાડનાર શબ્દો સંભળાય. બ્રહ્મચર્યના ભંગમાં એવા શબ્દોનું શ્રવણ પણ કારણ બની જાય છે. આથી એનોય પરિત્યાગ કરવો એ જરૂરી છે. આવી વસતિ અને આસન તથા કુડ્યાન્તરના આસેવનથી કેવી કેવી રીતિએ નુક્સાન થાય, એ વાત સમજાવવાને માટે વિશેષ વિવેચનની જરૂર નથી. તમે જો તમારો અનુભવ સમ્યક્રપણે વિચારો, તોપણ તમને આ વાત સહેલાઇથી સમજાઇ જાય એવી છે. આ ત્રણના પરિત્યાગની મનોદશા, એ ચોથા મહાવ્રતની પ્રથમ ભાવના છે. આજે આ ભાવના સામે પ્રબળ વિરોધ કરનારા અનેક દમ્મશીલ આત્માઓ જમ્યા છે, પણ વર્તમાનમાં આ ભાવનાનેય મુનિઓએ ખૂબ જ દ્રઢ બનાવવી એ જરૂરી છે. આના વિના ચોથા મહાવ્રતની વિશુદ્ધિ ક્લંકીત થવી એ અતિશય સંભવિત છે, માટે આમાં સહજ પણ શિથિલતા આવવા દેવી નહિ. તીવ્ર કામવાસનાના પ્રતીક સમાં મકાનો -
આજે સારા ગણાતા ગૃહસ્થોનાં ઘરો પણ કામજનક ચિત્રોથી. ભરપૂર બનવા લાગ્યાં છે. આદર્શ ચિત્રોનું સ્થાન આજે કામજનક ચિત્રોએ લીધું છે. ચાહે તેટલા ઉપદેશથી પણ આજે આનો બહિષ્કાર