________________
ચૌદ ગુણસ્થાનક મામ-૩
હવે ‘સર્વ પ્રકારે મૈથુનથી વિરમણ-નામ પરિત્યાગ' એવા સ્વરૂપવાળું જે ચોથું. મહાવ્રત છે, તેની ભાવનાઓ પણ પાંચ છે. એ પાંચ ભાવનાઓ, કે જે ચોથા મહાવ્રતને સુવિશુદ્ધ રાખવા માટે સમર્થ છે, તેમાંની
૧૭૬
૧- પ્રથમ ભાવના -‘સ્ત્રી, પંઢ અને પશુવાળી વસતિ, આસન અને કુડયાન્તરનો પરિત્યાગ.' -આ છે. બ્રહ્મચર્યને સુવિશુદ્ધપણે પાળવા ઇચ્છતા મહર્ષિઓ સદાય સ્ત્રીઓ, નપુંસકો અને પશુઓ જ્યાં હોય એવી વસતિનો, એવા આસનનો અને એવા કુડયાન્તરનો પરિત્યાગ કરવાની ભાવનામાં જ ઉજમાળ હોય. સ્ત્રીઓ સચિત્ત
અને અચિત્ત એમ ઉભય પ્રકારની છે. દેવસ્ત્રીઓ અને મનુષ્યસ્ત્રીઓ, એમ બે પ્રકારની સચિત્ત સ્ત્રીઓ છે અને ચિત્રકર્મ આદિથી બનાવેલી સ્ત્રીની આકૃતિઓ એ અચિત્ત સ્ત્રીઓ છે. ‘આવી સ્ત્રીઓવાળી વસતિનો અને તેવા પ્રકારના આસન આદિનો ઉપભોગ, એ બ્રહ્મચર્યમાં વિઘ્નકર હોવાથી, એનો પરિત્યાગ કરવો ખૂબ જરૂરી છે.' -એવા વિચારમાં બ્રહ્મચર્યનો પ્રેમી ખૂબ જ મક્કમ હોય. અગ્નિ કરતાં પણ સ્ત્રીઓનો પ્રસંગ ભયંકર છે. સ્ત્રીઓનાં ચિત્રો એ પણ વિષયની વાસના જગાડવાને માટે ગજબનાક સામગ્રી છે. સ્ત્રીઓના સહવાસમાં અને સ્ત્રીઓનાં ચિત્રોવાળા મકાનમાં અથવા તેવા પ્રકારના આસનમાં રહેવાની વૃત્તિવાળા જરૂર ભયંકર મનોદશાના સ્વામિઓ છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ માનવાનું કારણ નથી. સ્ત્રીઓ અને સ્ત્રીઓનાં ચિત્રોવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન જેમ ત્યાજ્ય છે, તેમ નપુંસકોવાળી વસતિ અને તેવા પ્રકારનું આસન પણ ત્યાજ્ય છે. ‘પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ.' -આ ત્રણ પ્રકારના વેદો છે. આ ત્રણ
વેદોમાં ત્રીજો વેદ એ ભયંકર છે. એ ત્રીજા વેદના ઉદયવાળા આત્માઓ મહામોહકર્મવાળા હોઇ, સ્ત્રીઓ અને પુરૂષો-એ ઉભયના