SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ – – – ચૌદ ગુણસ્થાનક માd-3 ૧૬૯ ––– – એવી તકલીફો વેઠવા દ્વારા કર્મક્ષય સાધવા માટે જ અનગારપણું સ્વીકાર્યું છે. આમ છતાં પણ, જો તેઓ ગૃહસ્થો કરતાંય અધિક અનુકૂળતાવાળાં મકાનો ઇરછે અને એવાં મકાનો મેળવવાને માટે ગૃહસ્થોને પણ ટપી જાય એવી ભાવનાઓ અને પ્રવૃત્તિઓ આચરે, તો તેઓ નામના જ સાધુ રહી જાય છે. વસતિના વિષયમાં તેવા પ્રકારની કુસ્પૃહાઓથી રહિત મહર્ષિઓ જ આ ભાવનાને જીવનમાં જીવી શકે છે, અને ત્રીજા મહાવ્રતની નિર્મલતાને સુરક્ષિત રાખી એના સાચા પાલનદ્વારા આ જીવનમાં સમાધિમય દશાને અનુભવી, પરલોકને સુધારી, શ્રી સિદ્વિપદને નજીક બનાવી શકે છે. અવગ્રહની પુનઃ પુનઃ યાચના ક્રવી : ૨- ત્રીજા મહાવ્રતની બીજી ભાવના વારંવાર અવગ્રહની યાચના' -આ નામની છે. એક વાર સ્વામિએ આપેલ અવગ્રહને પણ પુનઃ પુનઃ યાચવો એ જરૂરી છે. આ ભાવના વસતિના દાતાને અપ્રીતિ ન થાય, એ હેતુથી ખૂબ જ જરૂરી છે. વિના કારણે, વિહારની તકલીફ નહિ ભોગવવાના હેતુથી અને એક સ્થાનના મમત્વ આદિથી નિયતવાસ જેવી દશાને લઇને મઠધારી જેવા જેઓ બની ગયા છે, તેઓને તો આ ભાવના જચવી પણ મુશ્કેલ છે. વિહરતા મુનિઓએ વસતિ સાધુઓ માટે દુર્લભ ન બને અને સંયમની સાધના સારી રીતિએ કરી શકાય, એ કારણે શય્યાતરને અપ્રીતિ ન થાય એ ખૂબ જાળવવાનું છે. વસતિ આપનારને અપ્રીતિ ન થાય, એવી રીતિએ વર્તવાથી નિઃસ્પૃહતા નથી ચાલી જતી અને- “અમારે શું ? અમને એની અપ્રીતિની શી પરવા છે ?' - - આવાં આવાં વાક્યો બોલવાથી નિ:સ્પૃહતા નથી આવી જતી. અનુકૂળતા માટે આજ્ઞા લંઘવાથી બચવામાં નિસ્પૃહતા છે. એક વસતિ માગીને એમાં રહ્યા પછી અસ્માત સાધુની ગ્લાન અવસ્થા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy