________________
ચૌદ ગુણસ્થાળક ભાગ-૩
૧૬૭
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
_
_ _
_
_
પાસે વસતિ યાચવાનો પ્રસંગ આવે એમ નથી, પણ મંડલાધિપતિ આદિ પાસે માગી શકાય એવો પ્રસંગ છે. માની લો કે-એક કોઇ આજનો અમુક પ્રદેશનો રાજા ભક્ત છે અને એના રાજ્યમાં આપણે વિહરીએ છીએ, એટલે એને જ આપણે કહી દઇએ કે- “સ્થળે
સ્થળે સારા સ્થાનની વ્યવસ્થા થાય તો ઠીક.” –એટલે એ સર્વત્ર હુકમો આપે ? હવે સ્થળ સ્થળના મકાનમાલિકોની ઇચ્છા ન હોય તોય રાજાના હુકમથી તેઓને પોતાનાં મકાનો ખોલી આપવાં પડે, તો એ વસ્તુતઃ સાચી અવગ્રહયાચના નથી. વસતિના માલિક પાસે પણ એને અપ્રીતિ ન થાય, એ રીતિએ સમજાવીને જ અવગ્રહની યાચના કરવી જોઇએ. એ જ રીતિએ પ્રથમ આવીને કોઇ સાધુઓ મકાનના માલીક પાસે વસતિ માગીને રહ્યા છે : એ પછી કોઇ સાધુઓ આવ્યા, કે જે સાધુઓનો વસતિનો માલિક ભક્ત હોય : હવે જો એની પાસે જ અને એ જ વસતિ માગવામાં આવે, તો શું થાય ? મકાનનો માલિક પાછળથી આવેલા સાધુઓને હા પાડે અને પ્રથમના સાધુઓની ઇચ્છા ન હોય છતાં પણ માલિકના કહેવાથી પહેલાંના સાધુઓને પોતે સાચી લીધેલા સ્થાનમાં જગ્યા આપવી પડે : પણ એ રીતિની યાચનાય શાસ્ત્રવિહિત નથી. ઘણી વાર આવી જાતિની આજ્ઞા બહારની યાચનાથી પરસ્પર વિરોધ આદિ અનેક દોષો સરજાય છે અને એના પરિણામે અદત્તપરિભોગજનિત પાપકર્મ બંધાય છે. વસતિનો માલિક સમર્થ હોય તો રાજાના હુકમની સામે થઇને પણ ભયંકર ધાંધલ રાજ્યમાં ઉભું કરે છે અને પરિણામે રાજા-પ્રજા વચ્ચે વૈમનસ્ય વધે છે. આથી પણ પ્રસંગ પામી એવા મકાનના માલિકને રાજા કોઇને કોઇ નિમિત્તથી દેશનિકાલ આદિ કરે અથવા મકાનનો માલિક સમર્થ હોય તો રાજાને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકવાની પ્રવૃત્તિ આચરેઆવી આવી અનેક ઉપાધિઓ આ લોકમાં જ ઉભી થઇ જાય. એ