________________
–
–
–
––
–
–
–
–
–
–
–
–
–
–
૧૬૬
ચૌદ વણસ્થાનક ભાગ-૩ – – બીજો રાજા એટલે ચક્રવર્તિનો અવગ્રહ અને તે ભારતવર્ષાદિ : ત્રીજો ગૃહપતિ એટલે મંડલના અધિપતિનો અવગ્રહ અને તેનું મંડલ આદિ : ચોથો શય્યાતર એટલે વસતિના સ્વામિનો અવગ્રહ અને તે તેનું ઘર આદિ : તથા પાંચમો સાધર્મિક એટલે સાધુઓનો અવગ્રહ અને તે શય્યાતરે-વસતિના સ્વામિએ તેઓને આપેલ ઘર આદિ. આ પાંચમા પૂર્વ-પૂર્વનો બાધ્ય છે અને ઉત્તર-ઉત્તરનો બાધક છે. જો આમ ન હોત, તો સાધુઓને પ્રાયઃ કોઇનીય પાસે વસતિ માગવાની જરૂર જ ન રહેત : કારણ કે-દક્ષિણ લોકાર્ધ શ્રી સૌધર્માધિપતિનો છે અને ઉત્તર લોકાર્ધ શ્રી ઇશાનાધિપતિનો છે. આ બન્નેય સમ્યગ્દષ્ટિઓ છે અને તેઓ તો પોતાના અવગ્રહમાં એટલે માલિકીના સ્થાનમાં મુનિઓ નિરાબાધપણે વિહરો, એવી જ ઇચ્છાના સ્વામિઓ છે. પણ દેવેંદ્રનો અવગ્રહ પણ ચક્રવર્તિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : ચક્રવર્તિનો અવગ્રહ પણ મંડલાધિપતિની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : મંડલાધિપતિનો અવગ્રહ પણ શય્યાતર એટલે મકાનના માલિકની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય : અને શય્યાતરનો અવગ્રહ પણ જો એ પ્રથમ આવેલ સાધુઓને આપી ચૂકેલ હોય, તો તે સાધુઓની આજ્ઞા વિના ઉપયોગમાં ન લેવાય. આ માટે અવગ્રહની યાચના. ખૂબ વિચાર પૂર્વક જ કરવાની હોય છે. રાજગુરૂ પણ મકાનના માલિક પાસે રાજાના નામે વસતિની યાચના ન કરે અને જેમનો શય્યાતર ભક્ત હોય તેવા સાધુઓ શય્યાતરના બળે વસતિમાં રહેલા સાધુઓ પાસે અવગ્રહની યાચના ન કરે. આ જાતિના વિચારપૂર્વક, નિર્દભભાવે અને નિરભિમાનપણે, વસતિના માલિકને અપ્રીતિ ન થાય અગર તો વિના ઇચ્છાએ પણ તેને વસતિ આપવાજોગી સ્થિતિમાં મૂકાવું ન પડે, એવી રીતિએ મુનિઓએ વસતિની યાચના કરવી જોઇએ. અત્યારે ઇંદ્ર પાસે કે ચક્રવર્તિ