________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
કર્મપ્રકૃતિની સત્તાની સૂચના છે. તે ઉપરથી જાણવાનું છે કે, ચાર અપ્રત્યાખ્યાન, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકત્રિક, દેવત્રિક બે વૈક્રિય, દુર્ભાગ, અનાદેય, અયશઃ કીર્તિ, એ સત્તર કર્મપ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી જીવ ત્યાં સત્યાશી કર્મપ્રકૃતિનું ફ્લ ભોગવે છે અને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા છે. આ સૂચના પણ સારી રીતે મનન કરવા જેવી છે.”
૧૦
મુમુક્ષુ એ આનંદના આવેશથી જણાવ્યું, “ભગવન્, આ પાંચમા સોપાનને માટે જે વ્યાન આપ્યું, તે સાંભળી મારા હૃદયની ભાવનામાં ઊંડી છાપ પડી છે. દેશવિરતિ ધર્મ પણ જો શુદ્ધ રીતે સાચવવામાં આવે તો તે આત્મિક ઉન્નતિનો ઉત્તમ માર્ગ દર્શાવે છે, અને અધમ દશામાંથી મુક્ત કરાવી અધ્યાત્મિક દશાનો મહા માર્ગ દર્શાવે છે, અને સર્વવિરતિપણાનો દિવ્ય સ્વાદ ચખાડી મોક્ષ માર્ગની સમીપ લઇ જાય છે, તેથી આ નીસરણીનું પાંચમું પગથીયું પણ ઇચ્છવા લાયક છે. સર્વ ગૃહસ્થ શ્રાવકો જો શુદ્ધ આચરણથી આ ગુણસ્થાન પર વિશ્રાંતિ કરે તો તેઓ તેમના જીવનની ખરેખરી વિશ્રાંતિ મેળવે છે.”
આનંદમુનિએ આનંદ ધરીને કહ્યું, “ભદ્ર, તારી ભાવના જાણી સંતોષ થાય છે. આવી ભાવનાઓને ભાવનારા આત્માઓ ભવ્ય જીવોમાં અગ્રેસર ગણાય છે, અને પોતાના મનુષ્ય જીવનને સાર્થક કરનારા થાય છે.”
વળી હે ભદ્ર, આ પાંચમા ગુણસ્થાન ઉપરનાં જે જે ગુણસ્થાન છે તેમાંથી તેરમું બાદ કરીને બાકીના સર્વ ગુણસ્થાનકોની પૃથક્ પૃથક્ અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિ છે, અને છઠ્ઠું તથા સાતમું ગુણસ્થાન હિંડોળા સમાન હોવાથી તેનું ઉત્કૃષ્ટ કાલમાન દેશ ઉણું પૂર્વ કોટી વર્ષ છે. આ રીતે આ પંચમ મોક્ષપદ સોપાનનું સ્વરૂપ છે. હવે ઉપર છઠ્ઠા સોપાનને વિષે જે સૂચનાઓ છે, તે તને કહેવામાં આવશે, તે