________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
સાવધાન થઇ સાંભળજે. તારા હૃદયની ભાવના જાણી મને ઉપદેશ આપવાની વિશેષ પ્રીતિ ઉત્પન્ન થાય છે.
૧૧
// ઊંથ શ્રાવવ્રત ધિર ||
પ્રાણાતિપાતવિરતિ, મૃષાવાદવિરતિ, આદત્તાદાનવિરતિ, મૈથુનવિરતિ, અને પરિગ્રહવિરતિ તથા દિશિપ્રમાણ, ભોગોપભોગ પ્રમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ (એ શ્રાવકનાં ૧૨ વ્રત છે.) || ૧ ||
|| 9 સ્થૂલ પ્રાણાતિપાત વિરમનવ્રત ||
જીવ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારનાં છે તેમાં (બાદર એટલે ત્રસજીવની હિંસા તે) સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે તે પણ (સંકલ્પ હિંસા) સાપરાધિની અને નિરપરાધિની એમ બે પ્રકારે છે, તેમાં પણ (સાપરાધિની હિંસા) સાપેક્ષ-નિરપેક્ષ એમ બે પ્રકારે છે. (તેમાં નિરપેક્ષનું પ્રત્યાખ્યાન અને સાપેક્ષની જયણા છે.)
(૧) બુદ્ધિપૂર્વક હણવું. (તે વર્જ્ય)
(૨) ગૃહાદિ કાર્યમાં પ્રાસંગિક હિંસા થાય (તેની જયણા) (૩) અપરાધથી વધુ શિક્ષા ન થઇ જાય તેવી સંભાળથી વર્તવું. (તેની જયણા)
(૪) જીવઘાતની દરકાર રાખ્યા વિના યથેચ્છ અધિક શિક્ષા કરવી. (તેનો ત્યાગ કરવાનો છે)
(૫) અર્થાત્ ગૃહસ્થને સંકલ્પપૂર્વક નિરપરાધીની નિરપેક્ષપણે ત્રસજીવની હિંસા કરવાનો ત્યાગ હોય છે, અને શેષ વિકલ્પમાં જયણા હોય છે. ૨૦ વસાની દયામાંથી અર્ધ અર્ધ કરતાં ૧ા વસાની દયા ગૃહસ્થને કહી છે તે પણ એ ચાર વિકલ્પથી થાય