SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક માણ-3 નિયમ કરવો, એટલે ભક્ષ્યાભક્ષ્યનો નિયમ કરવો, (૮) અનર્થ દંડ વિરમણ, (૯) સામાયિક વ્રતનું ગ્રહણ કરવું, (૧૦) દેશાવકાશિક વ્રત, (૧૧) પૌષધોપવાસવ્રત કરવું અને (૧૨) અતિથિ સંવિભાગ-અતિથિનો સત્કાર કરવો. એ ગૃહસ્થ શ્રાવકના બાર વ્રત કહેલા છે. જો ગૃહસ્થ ષટ્કર્મ અને ખાર વ્રત ધારણ કરી પોતાના વ્યવહારમાં પ્રવર્તે તો દેશ વિરતિમાં ચડીઆતો થઇ ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ ભાવે સર્વ વિરતિનો અધિકારી બને છે. Є મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો “ભગવત્ ગૃહસ્થ શ્રાવકના ષટ્કર્મ અને બારવ્રત આપના મુખથી સાંભળી મને અતિશય આનંદ થયો છે. જો કે તે વિષે હું યથાશક્તિ જાણતો હતો તો પણ આપની વાણીદ્વારા તે વાત જાણી મને અતિ આનંદ થયો છે. હવે આ પાંચમા ગુણસ્થાન વિષેના દેખાવની સૂચના કૃપા કરી સંભળાવો.” સૂરિવર ઉત્સાહથી બોલ્યા- “ભદ્ર જે આ સોપાનની આસપાસ મોટી આકૃતિવાલા દશ ચાંદલા રહેલા છે, તે દશ કર્મપ્રકૃતિની સૂચના કરે છે. અપ્રત્યાખ્યાન ચાર કષાય, મનુષ્યગતિ, મનુષ્યનું આયુષ્ય, મનુષ્ય આનુપૂર્વી, પ્રથમ સંહનન, ઔદારિક શરીર, અને ઔદારિક અંગોપાંગ, આ સર્વ મળી દશ કર્મપ્રકૃતિનો આ ગુણસ્થાનમાં રહેલો જીવ બંધવ્યવચ્છેદ કરે છે, અને તે દશ મોટા ચાંદલાની પાસે બીજા સડસઠ ચાંદલાઓ છે. તે ત્યાં રહેલા જીવને કર્મની સડસઠ પ્રકૃતિઓનો બંધ સૂચવે છે.” મુમુક્ષુએ સૂક્ષ્મ દ્રષ્ટિથી પુનઃ અવલોકન કરી પુછયું “મહાનુભાવ, આ પગથીઆની આસપાસ ઝીણા ઝીણા કિરણો પડતા દેખાય છે એ શું હશે ?” સૂરિવર બોલ્યા- “ભદ્ર, તારી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઇ હું પ્રસન્ન થયો છું. એ કિરણોમાં પણ એક ખાસ સૂચના રહેલી છે. એ કિરણો ઉપરથી ત્યાં રહેલા જીવને કર્મના ફ્લુ ભોગવવાની અને
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy