________________
૧૫૬
ચોદ કુણસ્થાનક ભાગ-3
-
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
ચાલે એમ નથી. આથી, એનો પણ પરિત્યાગ કરીને જ બોલવું અને જે બોલવું તે પણ સમ્યગજ્ઞાન પૂર્વક વિચારીને જ બોલવું, એ પણ અતિશય જરૂરી છે. આ પાંચ ભાવનાઓ અસત્યવાદથી બચવા માટે ખૂબ આવશ્યક હોઇને, એ ભાવનાઓને અંગે પણ, પ્રસંગ પ્રાપ્ત થયો છે તો આપણે થોડો વિચાર કરી લઇએ. હસવામાં આનંદ માનનારા મોહના સેવળે છે :
૧- બીજા મહાવ્રતની પ્રથમ ભાવના "હાસ્યપ્રત્યાખ્યાન' નામની છે. હાસ્યશીલ બનેલો આત્મા, ઇચ્છા ન હોવા છતાં પણ, હસતાં હસતાં અસત્ય બોલી નાંખે છે, આ વાત સમજથી ન સમજાય એવી નથી. હસનશીલ આદમી હસવામાં જ્યારે લીન થાય છે, ત્યારે તો એ ભાનભૂલા જેવો બની જાય છે. હાસ્યનો આવિર્ભાવ, એ પણ “હાસ્ય' નામના મોહનીચના ઉદયનો જ પ્રતાપ છે, એ વાત શ્રી જૈનશાસનના જ્ઞાતાથી અજ્ઞાત કેમ જ હોઇ શકે ? મોહનીયનો સ્વભાવ આત્માને મુંઝવનારો છે. હસવામાં આનંદ માનનારાઓ તો મોહના જ સેવકો છે. હાસ્યને પણ તેઓ જ જરૂરી માને, કે જેઓ તત્ત્વદ્રષ્ટિએ અજ્ઞાન હોય. “ઇસન્ દ મિથ્યાહૂયાત્' એમ ઉપકારિઓ માવે છે. “હસવામાંથી ખસવું થાય છે.” –એવી લોકોક્તિ પણ છે. બીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા મુનિ હાસ્યનો ત્યાગ કરવા માટે પણ સજ્જ હોવા જોઇએ. ઉપહાસ કરવાનો સ્વભાવ સાધુમાં હોવો જ ન જોઇએ. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાઓ-એ મૂર્ખ લોકોની મોજ છે, પણ જ્ઞાનિઓની નહિ. જ્ઞાતિઓ તો હાંસી, મશ્કરી અને ઠઠ્ઠાથી પર રહેનારા હોય છે. હાંસી, મશ્કરી અને ઠઠ્ઠા જેવા મોહવિલાસમાં મહાલનારાઓ, પોતાના “સત્ય” નામના મહાવ્રતને ભૂલી જાય અને અસત્ય આલાપ-સંલાપ કરવા મચી પડે, એમાં કશું જ નવાઇભર્યું નથી. આ જાતિના