________________
૧૫૪ - -
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
નગ્ન-સત્યવાદિઓ જ્યારે પોતાને સત્યવાદી તરીકે ઓળખાવે છે, ત્યારે ખરે જ તેઓના કારમા અજ્ઞાન માટે દયા આવે છે. શિકારિઓ જંગલમાં પ્રશ્ન કરે કે- “મૃગો ક્યાં ગયા ?' મૃગોને પોતે જતાં જોયા જ ન હોય, ખબર જ ન હોય, તો તો જવાબ દેવામાં કાંઇ વિચારવાનું નથી પણ મૃગોને જતાં જોયા હોય અને તે મૃગો કચી દિશા ગયા-એમ શિકારી પૂછતો હોય, એવા સમયે એમ કહેવું કે- “મેં જોયા છે અને તે આ બાજુ ગયા છે.” -એ શું યોગ્ય છે? નગ્ન સત્ય બોલવાની વાતો કરનારા અજ્ઞાનો આવા જવાબને જ સત્ય કહે, પણ પરમાર્થવેદી મહાત્માઓ તો માવે છે કે-એમ બોલવું એ સત્ય હોવા છતાં પણ પરિણામે અહિતકર હોવાથી અસત્ય જ છે. અમૃતવાદી બનવાને ઇચ્છનારા આત્માઓએ એવા પણ વચનનો ત્યાગ જ કરવો જોઇએ. ભવિષ્યમાં અહિતકર બનનારાં તથ્ય અને પ્રિય પણ વચનોને બોલનારા આત્માઓ. વસ્તુતઃ સત્યવાદી નથી, પણ અસત્યવાદી જ છે. આમ હોવા છતાં પણ, જેઓ પોતાની જાતને “સત્યવાદી” મનાવવા માટે અનેકના અહિતમાં પરિણામ પામે એવું પણ સત્ય બોલવાના આગ્રહી છે અને જગતને પણ એવું જ સત્ય બોલવાનો જેઓ ઉપદેશ આપે છે, તેઓ સત્યના પૂજારી તો નથી જ પણ સત્યના કારમાં શત્રુઓ જ છે. બીજા મહાવ્રત તરીકે તો તે જ વચન સત્ય મનાય છે કે જે તથ્ય હોવા સાથે પ્રિય અને પથ્ય હોય. કવચિત્ એવું પણ બની જાય છે કે-વ્યવહારની અપેક્ષાએ કોઇ વચન અપ્રિય પણ લાગતું હોય, છતાં હિત માટે એનું ઉચ્ચારણ આવશ્યક હોય. એવા વખતે સમજવું જોઇએ કે- “ભવિષ્યમાં હિતને કરનારૂં કઠોર પણ વચન સત્ય જ છે. કારણ કે-હિત એ તો સૌની પ્રિય વસ્તુ છે અને એથી એ જેનાથી સધાય તેને પ્રિય તરીકે માની શકાય. જેઓ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધે છે અને જેઓ પરિણામે હિંસા