________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૫૧
બીજા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
‘હે ભગવાન્ ! બીજા મહાવ્રતમાં સર્વથા અસત્ય-જુદું બોલવાનો ત્યાગ કરું છું. હે ભગવન્ ! જીવનપર્યંત ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી હું અસત્ય બોલીશ નહીં, અન્ય પાસે બોલાવીશ નહીં, બોલનારને સારો જાણીશ નહીં. જાવજ્જીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી અસત્ય બોલીશ નહીં, બોલાવીશ નહીં, બોલનારને અનુમોદીશ નહીં. પૂર્વે અસત્ય બોલાયું હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરૂ સાક્ષીએ ગહું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા અસત્ય-જુઠું બોલવાના વિરામ રૂપ બીજા મહાવ્રતમાં હું રહું છું. (૨) બીજું મહાવ્રત-નૃત ઃ
હવે બીજું મહાવ્રત છે- ‘સૂનૃત' મૃષાવાદનું જેમાં સર્વથા વિરમણ છે, એવા પ્રકારનું આ વ્રત છે. પ્રિય અને પથ્ય એવા તથ્ય વચનને બીજું મહાવ્રત કહેવાય છે. સાચા વચનમાં જરૂરી પ્રિયતા પણ ખૂબ જ આવશ્યક છે. માખણીયા વૃત્તિની પ્રિયતા તો સત્ય વચનને પણ અસત્ય બનાવનારી છે. ‘કોઇ પણ આત્માને અપ્રીતિ પેદા ન થાઓ' -એવા પ્રકારે શુદ્ધ હૃદયથી બોલાયેલું વચન એ પ્રિય વચન છે. કેવળ ઉપકારભાવનાથી અને શુદ્ધ સમજપૂર્વક બોલાયેલું.વચન પ્રિય જ હોય છે અને એવું વચન સાંભળવા માત્રથી પણ સુયોગ્ય આત્માઓને પ્રીતિ પેદા કરનારૂં હોય છે. એક્યું પ્રિય વચન જ નહિ, પણ સાથે એ વચન ભવિષ્યમાં હિત કરનારૂં પણ હોવું જોઇએ. એવું વચન જ સાચા રૂપમાં પ્રિય હોઇ શકે છે. આવું પ્રિયતા અને પથ્યતાથી વિશિષ્ટ એવું જ તથ્ય વચન, એ બીજું મહાવ્રત કહેવાય છે. બીજા મહાવ્રતને ઓળખાવતાં મહાપુરૂષો તથ્ય