________________
ચૌદ ગુણસ્થાનક માણ-3
૧૪૬
અને વ્રતપાલનના આસ્વાદથી સદાય વંચિત જ રહે છે. અનીતિની ક્માણી જેવી ભિક્ષા :
ગૃહસ્થો માટે અનીતિની કમાણી જેમ કલંક રૂપ છે, તેમ સાધુઓ માટે દોષિત ભિક્ષા એ કલંક રૂપ છે. ઉત્તમ ગૃહસ્થો જેમ સ્વભાવથી જ અનીતિના ત્યાગી હોય છે, મધ્યમ ગૃહસ્થો જેમ પરલોક્ના ડરથી અનીતિના ત્યાગી હોય છે અને જઘન્ય કોટિના
ગૃહસ્થો જેમ આ લોકના ભયથી અનીતિના ત્યાગી હોય છે, તેમ ઉત્તમ સાધુઓ પોતાના ઉત્તમ સ્વભાવથી જ દોષિત ભિક્ષાના ત્યાગી હોય છે : આમ છતાં પણ, પરલોકના ભયથી અને આ લોકના ભયથી પણ જેઓ દોષિત ભિક્ષાથી બચે છે, તેઓ પણ અપેક્ષાએ પ્રશંસાપાત્ર છે ! પણ આજે જેમ ઘણા ગૃહસ્થો અનીતિના ત્યાગને જલાવી દઇ અનીતિની ઉપાસનામાં જ રાચે છે અને એથી તેઓ જઘન્યની ગણનામાંથી પણ પોતાને બાતલ કરી ચૂક્યા છે, એ રીતિએ દોષિત ભિક્ષામાં જ મહાલનાર સાધુઓ, પોતાની ગણના વેષધારિઓમાં જ કરાવનારા ગણાય, એમાં આશ્ચર્ય શું છે ? જુઠ્ઠો અને કારમો બચાવ :
દોષિત ભિક્ષાથી બચવા માટે ઉપકારિઓએ ઘણું ઘણું ફરમાવ્યુ છે, પણ શાસ્ત્રનેય શસ્ત્ર બનાવનારાઓએ અજ્ઞાન સાધુઓને આ ભિક્ષાના વિષયમાં પણ ઓછે-વધતે અંશે ઉલ્લંઠ બનાવ્યા છે. જેઓ પોતાની જાતને શાસ્ત્રના જ્ઞાતા મનાવવા છતાં પણ, દોષિત ભિક્ષાને આરોગવા માટે નિઃશૂક બની ગયા છે, તેઓએ આ વિષયમાં ખૂબ જ ઉન્માર્ગ ચલાવ્યો છે. શાસ્રવેદિઓ પણ જ્યારે એવું બોલતા સંભળાય છે કે- ‘શ્રાવકો આપે અને સાધુઓ ખાયએમાં ટીંકા શી ?' -ત્યારે ખરે જ કંપારી છૂટે છે. આવું